SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રસ્તાવ 127 ભાષા જાણવામાં નિપુણ તે દેવરાજે કઈ પિશાચનું વચન આ પ્રમાણે સાંભળ્યું - " फो फो जाणसि किंचि, सो भन्मइ नो कहहि मह किं तं / કંપડું રૂમોડવ અર્જા, મતિહીં સો નત્તિ ને ?" અરે તું કાંઈ જાણે છે? તેણે કહ્યું–“કાંઈ જાણતા નથી, તું જ મને કહે.” ત્યારે તે વૃદ્ધ પિશાચ બે કે –“આજે તે ઉજજયિની નગરીનો રાજા મરણ પામશે.” " - “વી તો , નિમિત્તે રૂ વેTU . જો કંપ સંપત્રિો, મે પહ7 નg || 2 " " ત્યારે બીજાએ પૂછયું કે–“ક્યા નિમિત્ત કરીને અને ક્યારે તે રાજા મૃત્યુ પામશે?” ત્યારે વૃદ્ધ પિશાચ બોલ્યો–રાત્રિના પહેલા પ્રહરમાં સર્પના દંશથી રાજાનું મરણ થશે.” આ પ્રમાણે પિશાચનું વચન સાંભળી તેને સત્યજ માની દેવરાજ ચિત્તમાં અત્યંત પીડા પામી વિચારવા લાગ્યું કે –“હા! દૈવે આ ! શું કર્યું? તો પણ તેવા પ્રકારના કેઈ યત્ન કરું કે જેથી રાજાનું કષ્ટ નિવૃત્તિ પામે.” એમ વિચારો તે શીધ્ર રાજા પાસે આવ્યું. પછી રાત્રિ સમયે સભાજનેને વિસર્જન કરી રાજા વાસમંદિરમાં જઈ રાણીની સાથે સુખશય્યામાં સુતે. રાત્રિના પહેલા પહેરે દેવરાજ પહોર હતો. તેથી તે વિશેષ શંકાવાળે થઈ વાસ ગૃહની મળે, ઉપર, નીચે, પડખે સર્વઠેકાણે નિપુણ દ્રષ્ટિથી જોઈ ખર્શ ખેંચી દીવાના અંધકારમાં ગુપ્ત રીતે ઉભે રહ્યો. તેટલામાં ચંદરવાના છિદ્રમાંથી એક કૃષ્ણ સર્પ ધીમે ધીમે લંબાય. તે જોઈ તત્કાળ એક હાથવડે તેનું મુખ પકડી બીજા હાથમાં ધારણ કરેલા ખવડે તેના બે કકડા કરી તે બન્ને કકડાને એક ઠેકાણે ભૂમિપર ગુપ્ત રીતે મૂકી દીધા. ફરીથી પિતાને સ્થાને આવી સાવધાનપણે તે રક્ષણ કરવા તત્પર થયે, તેટલામાં તેણે રાણીના ઉર:સ્થળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy