SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પરિચછેદ, ( 91 ) - અમરકેતુ રાજાની માનીતી રાણી કમલાવતી દેવીની કુખે પુત્ર પણે જન્મશો. પૂર્વભવને વરી એક દેવ તમારી માતા સાથે. તમારૂં હરણ કરશે. ચિત્રવેગ વિદ્યાધરેંદ્રને ત્યાં તમે મોટા થશે. મહારી પાસે આવતાં પહેલાં તમે જેને દિવ્યમણિ આપતા આવ્યા છે, એ જ તમારે પાલક પિતા બનશે. સુપ્રતિષસૂરિ પાસે તમે ધર્મને બેધ પામશે. " એટલું સાંભળી લીધા પછી મેં કેવળી ભગવાનને પ્રદક્ષિણપૂર્વક વંદન કર્યું અને ત્યાંથી તમારી પાસે આવ્યો છું. હવે તમારે મને જે કંઈ આજ્ઞા કરવી હોય તે કહે. - " સુત્તમ ! મારા હૃદયમાં હજી એક શલ્ય ખૂંચે છે, " - ચિત્રવેગે પિતાની દુખકથા કહેવા માંડી. " સર્પોના પાશથી હું જે વખતે જકડાયેલું હતું અને મને દુઃખી જોઈ મારી - સ્ત્રી જે કરૂણ વિલાપ કરી રહી હતી તે વખતની વેદના અને કલ્પાંત હું ભૂલી શકતું નથી. બીજું તો ઠીક પણ નવાહન રાજા મારી સ્ત્રીને ઉપાડી ગયે છે, તે બિચારી અત્યારે કેટલાં દુઃખ વેઠતી હશે? હું મારા પિતાનાં દુઃખને તે ભલે ભૂલી જઉં, પણ એ કમળાંગીનું શું થયું હશે ? મારા દુશમને એની કેટલી દુર્દશા કરી હશે ?" - " ચિત્રગ ! આકંદ કરતી એવી તમારી ભાર્યાને નભે- વાહન વિદ્યાધર અહીંથી સીધે ગંગાવત્ત નગરમાં લઈ ગયે, અને ત્યાં પિતાના અંતઃપુરમાં ઉતારી. જે સ્ત્રીએ પિતાના પતિને નાગપાશથી વીંટાયેલા નજરોનજર નીહાળે હાય, અને જેની બધી આશાઓ ભાંગી પડ હોય, જેને પરપુરૂષને સ્પર્શ થયે હોય અને ફરી વાર પિતાના પતિના દર્શન થશે. કે કેમ તે ઉદ્વેગ વર્તતે હોય તે સ્ત્રી રાજાના અંતઃપુરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy