SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પરિચ્છેદ. ( 89 ) - ભાગ્યેાદયવશાત પદ્યરાજા અને સમરકેતુને તીવ્ર વૈરાગ્ય ઉપ. પદ્મરાજાએ પોતાના પુત્રને ગાદી ભળાવી, સમરäતુ સાથે દીક્ષા લીધી. ભવ્યજનેને ઉદ્ધાર કરતા, ધર્મનો પ્રચાર કરતા બને રાજકુંવરે પૃથ્વીતલ ઉપર મુનિરૂપ વિચરી રહ્યા. ફરતા ફરતા એક વાર રતનપુર જતાં, માગની વિકટતાને લીધે તેઓ રસ્તા ભૂલી ગયા. ભીલ્લાની જે પલ્લીમાં કપિલ વસતે હતા ત્યાં જ એ બને મુનિઓ જઈ ચડ્યા. કપિલે એમને ઓળખી લીધા. પહેલાં તે કપિલે બહુ ભક્તિ અને વિનય દર્શાવ્યાં. મુનિરાજેને પિતાને ત્યાં લઈ ગયો, પરંતુ તેના હૃદયમાં વૈરનું વિષ ઉછળતું હતું. તેણે મુનિરાજોના આહારમાં ઝેર ભેળવ્યું. વિશુધ સ્વભાવવાળા મુનિઓ એ ભજન કરવા બેઠા એટલે પાસેના એક દેવે મુનિ પ્રત્યેના ભક્તિભાવને લીધે એ ઝેર હરી લીધું. આહારમાં ઝેર ભેળવવા છતાં અનિઓને કંઈ ન થયું તેથી કપિલ મુંઝા. એક ઉપાય નિષ્ફળ જવાથી તેણે બીજો ઉપાય લેવાનો નિશ્ચય કર્યો. સાંઝ પી. કપિલ હાથમાં ખડગ લઈ મુનિરાજોને વધ કરવા તૈયાર થયો. અંધકાર જામતે જતું હતું. પિતાને કઈ પીછાની શકશે નહી એમ ધારી કપિલ અંધારામાં હાર નીકળ્યો. મુનિઓ ઉપર ખડગ ઉગામે છે એટલામાં જ એક દેવે દેવ આવી, એ જ ખડગવતી કપિલને બીજી નરકભૂમિમાં મોકલી દીધો. - પદ્મ અને સમરકેતુ એ બને મુનિઓ ઘણા સમય સુધી નિરતિચાર ચારિત્ર પાળી શુભ પુણ્યના ઉદયથી સાધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયા. ત્યાં પદ્મને જીવ એક સાગરોપમનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy