SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ પરિચછેદ. ( 3 ). વયંપ્રભાની સલાહ મને રૂચી. પતિને વિરહ થતાં મેં - શોક કરે ત્યજી દીધે. એને બદલે ભૂલેકમાં જઈ જિનબિંબ વાંદ્યા. ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં ગઈ અને નંદીશ્વર દ્વીપમાંથી રાજગૃહ નગરીના ઉદ્યાનમાં–જ્યાં આગળ શ્રી શુભંકર કેવળી 1 ભગવાન શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરતા હતા ત્યાં ગઈ. શ્રી શુભંકર કેવળી ભગવાનની ધર્મદેશના સાંભળી લીધા પછી, અવસર જાણી, બહુ જ વિનયપૂર્વક મેં પૂછ્યું: “ભગવન! હારે પ્રિયપતિ ચંદ્રાન દેવ અહીંથી - વિને કયાં ઉત્પન્ન થયે છે? મહારૂં આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? હારે જન્મ કયાં થશે ? અથવા મને મારા પતિનું દર્શન થશે કે નહીં?” કેવલી ભગવાને મારી ઉપર કરૂણા કરી જવાબ આપ્યો. “તારે પતિ અહીં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણમાં ચમરચંચા નામની નગરીમાં, ભાનુમતિ વિદ્યાધરને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તારૂં પિતાનું આયુષ હવે એક લાખ 1 વરસનું જ બાકી રહ્યું છે, અને અહીંથી અવીને તું તે જ - ઉત્તરશ્રેણીમાં સુરનંદન નામે નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરને = ત્યાં પુત્રી તરીકે જન્મશે. ત્યાં જ હારા પૂર્વ પતિનું તને = દર્શન થશે.” = “ભગવન્! પણ હું હારા પતિને શી રીતે ઓળખી = શકીશ? અથવા તે તેમની સાથે મારું લગ્ન થશે કે કેમ?” * “આટલું યાદ રાખજે કે શ્રીજિનેંદ્ર ભગવાનની યાત્રા વખતે એક ગાંડે હાથી તોફાન કરશે. તમારે પૂર્વભવને વામી તમને એ આફતમાંથી બચાવશે. ફરી પણ તમારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy