SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ( 304) સતી સુરસુંદરી. સાંભળવાને દુઃખમય પ્રસંગ પણ એમને પ્રાપ્ત થતું નથી, રાજાઓને પ્રણામ કરવા પડતા નથી, ભજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાન વિગેરેની કેઈ પણ પ્રકારની ચિંતા કરવી પડતી નથી. ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લોકો પણ ચારિત્રશાલીઓને પૂજે છે, શાંતિ-સુખમાં પ્રીતિ રહે છે. મતલબ કે આ લેકમાં ઉત્તમ સુખ મળે છે અને અંતે મોક્ષાદિકની પ્રાપ્તિ થાય છે. ચારિત્રમાં આ સર્વ ગુણ રહેલા છે. સુબુદ્ધિશાળીઓએ એ દિશામાં પ્રયત્ન કરે જોઈએ. દંપતીનાં સુખની અવધિ. गुणेन रूपेण समानभावौ समानशीलौ च समानमेधौ / समानवंशौ च कलासु तुल्यौ यौ दम्पती सौख्यमलं तयोर्वे // ગુણ અને રૂપમાં જેઓ સમાન હોય, સ્વભાવ અને બુદ્ધિમાં પણ જે પતિપત્ની એક સરખાં હોય, સમાન કૂળમાં જમ્યાં હોય અને કળાકૌશલ્યમાં સરખે રસ ધરાવતાં હોય એવાં દંપતીના સુખની અવધિ જ આંકી શકાય નહીં. વૈરાગ્ય સિવાય બધે ભયનું જ રાજ્ય છે ! भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, शास्त्रे वादभयं गुणे खलभयं रूपे जराया भयम् / मौने दैन्यभयं बले रिपुभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तुभयान्वितं भुवि नणां वैराग्यमेवाभयम् / / વિનયથી લક્ષ્મી પ્રાપ્તિ. विनयेन भवति गुणवान , गुणवति लोकोऽनुरज्यते सकलः / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy