SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દશમ પરિચછેદ. ( 113) ગઈ. આરંભમાં મને જે દુઃખ થયું તેના મરણમાત્રથી મને હજી પણ ધ્રુજારી છૂટે છે.” રાજાને પણ આ વૃતાંત સાંભળી રહેજ દુઃખ થયું. આરંભમાં દુઃખદાયક, પણ પરિણામે સુખમય સ્વપ્નને શું અર્થ હશે તે વિષે તે વિચાર કરવા લાગ્યા. સ્વપ્નની બધી સૂક્ષમ વિગત તે તે ન સમજી શક્ય, પણ તેને એમ તે ચોક્કસ લાગ્યું કે આ સ્વપ્ન પુત્રલાભ સૂચવે છે. અત્યારે તેણે એટલાથી જ સંતોષ માન્યો. બાકીની વાત સ્વપ્નશાસ્ત્રના પારગામીઓ પાસેથી જાણું લેવાનું નક્કી કર્યું. રાણુને તેણે એ હકીકત જણાવી. - રાજસભામાં તે દિવસે સ્વપ્ન પાઠકેની હેટી ઠઠ્ઠ જામી. મહારાજા અમરકેતુ પણ સ્વપ્નને રહસ્યાથ જાણવા આજે - જરા વહેલા આવી સિંહાસન ઉપર બિરાજ્યા. રાજાની આજ્ઞા થતાં શહેરના સુપ્રસિદ્ધ સ્વપ્ન પાઠકએ આવી પોતપોતાનાં સ્થાન સંભાળ્યાં. સામતે, મંત્રીઓ અને નગરના મુખ્ય મુખ્ય મહાજનેની હાજરીને લીધે સભાસ્થાન ભરાઈ ગયું. ધનદેવ રાજાને પરમ માનીને શહેરી હેવાથી તે પણ રાજાથી થોડે દૂર-પણ રાજાની નજર પડે તેમ પોતાના સ્થાન ઉપર ગોઠવાઈ ગયે. શરૂઆતમાં રાજાએ, કમલાવતીના સ્વપ્નને અહેવાલ અક્ષરશઃ કહી સંભળાવ્યું અને પછી સ્વન પાઠકને સંબોધી _ પૂછ્યું: “આ સ્વપ્નને વિગતવાર રહાર્થ શું છે એ હું તમારી = પાસેથી જાણવા માગું છું.” સ્વપ્ન પાઠકે એક-બીજાના હે સામે જોઈ રહ્યા. એકાએક કે હિમ્મત કરી શકયું નહીં. તેમને વિચારગ્રસ્ત દશામાં જેઈ ધનદેવે વચમાં જ ઉચ્ચાયું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy