SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ મલયસ દરીએ જે પૂર્વભવમાં મુનિને આકાશ કહ્યાં હતાં, તને તારા બંધવથી વિયોગ થજે, જણાય છે અને પથ્થરથી ત્રણ વાર તાડના કરી , મહાબલના જીવે પણ મૌન રહી સંમતિ આપી હતી. તે બન્ને જણાએ જે પાપ ઉપાર્જન કરેલ તે મોટા ભાગનું તે પશ્ચાત્તાપથી ધોવાઈ પયું હતું પણ જે કંઈ કર્મ બાકી હતું તેથી તેમને પરસ્પર ત્રણ વાર વિગ થયો. કનકવતીએ રાક્ષસીનું કલંક આપ્યું. આમ આ વિગ અને દુ:ખ પૂર્વ કમજનિત થયું. પૂર્વભવમાં મલયસુંદરીએ મુનિને રજોહરણ લઈ લીધું તે તેને પોતાના પુત્ર સાથે આ જનમમાં વિયેગ થશે. આ બન્ને સ્ત્રી-પુરુષોએ જે મુનિને ઉપસર્ગ કર્યો હતે અને પછી ખમાવ્યા હતા, તે મુનિ હું પિતે જ છું. મને હમણાં થોડા સમય પૂર્વે જ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયેલ છે. તેમને આ બીજો ભવ છે. મારે તેને તે જ ભાવ ચાલે છે. આ પ્રમાણે પૂર્વભવ શ્રવણ કરી બન્ને રાજાઓ ઘણા વૈરાગ્યવંત થયા. સુરપાલે ગુરુને પૂછ્યું “ભગવંત ! આ કનકાવતી અને વ્યંતરદેવી હવે મારા પુત્રવધૂને દુઃખ આપશે ?" ગુરુ મહારાજે કહ્યું. “રાજન્ ! વ્યંતરદેવી તે પિતાનું વેર વીસરી ગઈ છે. પણ આ કનકાવતીથી મહાબલને ઉપદ્રવ થશે.” આ પ્રમાણે મહાબલ મલયસુંદરીએ પિતાને પૂર્વભવ શ્રવણ કરી કર્મના મહાન સિદ્ધાંતના પ્રત્યક્ષ પુરાવાને પામી ધર્મથી વાસિત બન્યાં. અને સર્વ સમક્ષ બન્નેએ ભાલાસપૂર્વક શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. એ સિવાય ખા દેશના શ્રવણ કરનાર કેટલાક લઘુકમી જીવોએ સંયમ લીધું. કેટલાકે વ્રત નિયમ લીધા. પોતાના પુત્ર-પુત્રીનું આવું રોમાંચક અને દુઃખ મિશ્રિત કર્માના વિપાકરૂપ ચરિત્ર શ્રવણ કરી રાજા વીરધવલ અને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy