SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મલય સુંદરી દેવીની બુદ્ધિ છે અને રતિનું રૂપ છે. સૌથી વિશેષ તે એનું હૃદય ગંગાના નીર જેવું નિર્મળ છે. રાજાની બીજી રાણી, કનકવતી છે–રૂપ છે પણ કપટની ખાણ છે. માયાનું મૂલ છે. એક દિવસ રાજા રેશમની શય્યા પર બેઠા છે. એમના. હૈયામાં ઉદાસીનતા પડી છે. ચિંતાના વાદળ મુખ પર આવન જાવન કરે છે દોમ દોમ સાહ્યબી છે. ચંપકમાલા જેવી રૂપ શીલની અધિષ્ઠાત્રી રાણી છે. ભવ્ય મહર ચંદ્રાવતી નગરી છે છતાં સાયંકાળે એક નરપુંગવ ભટણું મુકી કંઈક વાત કરીને, ગમે ત્યારથી ચિંતાના વાદળ ઊમટયા છે. ચંપકમાલા પંખે, નાખતાં રાજાને પૂછે છે “સ્વામી ! આપ આજે ઉદાસ કેમ છે? એવી તે શી બાબત છે - શું આ દાસીને નહીં કહે ? રાજા ડીવાર આકાશ પ્રતિ મીટ માંડી રહ્યો, નિશ્વાસ નાખી બોલ્યો “દેવી ! સાંભળ! મારી ઉદાસીનતાનું કારણ... .....આપણા નગરમાં બે વેપારીઓ વસે છે –બને પરસ્પર બાંધવ છે. એકનું નામ લેભાનંદિ છે બીજાનું નામ લેભાકર છે –બનેને પરસ્પર અતૂટ સ્નેહ છે અને અઠંગ વેપારી છે. કપટમાં પણ એમની જોડ નથી. નામ એવા જ ગુણ છે. લેભાનંદિને એકે સંતાન નથી. લેભાકરને ગુણવર્મા નામે એક ગુણવાન પુત્ર છે. જાણે કાદવમાં કમલની ઉત્પત્તિ છે. એકદા બને વેપારી દુકાને બેઠા છે. તેવામાં એક પ્રવાસી મેટી ભવ્ય દુકાન જોઈ તેની દુકાને આવ્યો. લેભાનંદિએ મીઠી વાણીથી બેલાવી પિતાની ગાદી પર બેસાડ. ખબર અંતર પૂછી. તેની મિષ્ટ વાણી અને ભવ્ય દુકાન જોઈ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy