SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અંધવામાં મિલન 13. અનેક ભાવના હિંડોળે ઝુલતો તે વિચારતો વિચારતો એક વર્ષ પૂર્ણ થતાં આ સાગર તિલક બંદરના કિનારે આવ્યા. દિવસના જનગણ મહેરામણને નિહાળી રાત્રીના સમયે ગાનુયોગ આ જ જીર્ણ મકાનના ઓટલા પર તે સૂઈ રહ્યો હતો. તેણે કેઈ યુવાનના મુખે પિતાનું નામ સાંભળી તે સફાળે બેઠો થઈ ગયો અને તે યુવાન પ્રતિ આવવા નીકળ્યો. તે શબ્દો જાણે પિતાની પ્રિયા જેવા જ લાગ્યા. તે સમયે મલય સુંદરી મોટેથી બોલતી હતીઃ “હે વિધાતા તને નમસ્કાર! તારું જ ધાર્યું થાય છે. હે દેવી! પશુ પંખીઓ! સાંભળે ! મારે સ્વામી મહાબલ કેઈ સ્થળે તમને મળે તો મારા છેવટના નમસ્કાર જણાવજો. આ આપની વિગણે દુઃખ સહન ન થતાં કૂવામાં ઝંઝાપાત કર્યો છે. અન્ય જન્મમાં પણ તેની ઈચ્છા કરી છે. શીલવ્રતને અખંડ રાખેલ છે. રેમમ તને જ ઝંખે છે. મને મહાબલનું શરણ હો !" અને નવકાર મંત્રના ઉચ્ચારે તેણે કુવામાં ઝંઝાવાત કર્યો. એને પડતી રોકવા મહાબલ દોડીને આવ્યો અને બોલ્યો, “હે યુવાન ! જરા થંભી જા !" પણ તે ન રેકાય એટલે તેણે પણ તેની પાછળ કૂવામાં ઝંઝાપાત કર્યો. જીવને ઉત્કટ પ્રેમ ખરેખર આ જ હોય છે. જે મહાબલે પિતાના પ્રિયપાત્ર ખાતર રાજવૈભવ ત્યાગી આવી પથિકવૃત્તિ સ્વીકારી દુઃખ વેઠયાં હતાં તેને ક્ષણમાં અંત આવ્યો. કૂવામાં તપાસ કરતાં તે યુવાન અર્ધ મૂચ્છમાં હતો. ખાસ વાગ્યું ન હતું પણ મંદ સ્વરે બોલતો હતો. “મને મહાબલને મેલાપ હજો.” મહાબલ પિતાનું નામ સાંભળી વિસ્મય પામે. અહો આ યુવાન મને ક્યાંથી ઓળખે! તેણે પ્રગટ પૂછયું “હે યુવાન P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy