SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સંત તુકારામ ધર્મને જયજયકાર થયે. તેને ખૂબ પ્રચાર થયા. આમ ભાગવત ધર્મને એક ડગલું આગળ વધારવાનું શ્રેય તુકારામને પણ મળ્યું. તુકારામના ભાગવત ધર્મનાં તા રામેશ્વર ભટ્ટ માન્ય ન રાખવાથી તેમણે ગાઢ જંગલમાં પગ મૂક્યો. દેહુમાં તુકારામનાં ભજન-કીર્તનનો રંગ જામે છે અને ત્યાં જ એમના પ્રિય વિઠ્ઠલનું સ્થાન છે એટલે દેહુમાંથી જ તુકારામને કાઢી મૂકવાને કુવિચાર તેમના મનમાં આવ્યા અને તેમણે ગામના મુખિયાઓને ભંભેર્યા. દેહમાંથી તુકારામને હાંકી કાઢવાનું એ મુખિયાઓને લખી નાખ્યું. આ હુકમનામું મુખિયાઓએ તુકારામને વાંચી સંભળાવ્યું. તુકારામ તરત જ રામેશ્વર ભટ્ટને ગામ વાઘેલી ગયા અને રામેશ્વર ભટ્ટ સંધ્યામાં બેઠા હોવા છતાં તેમની પાસે જઈને દંડવત્ પ્રણામ કરીને તેમની સામે જ કીર્તનને પ્રારંભ કરી દીધો ! કીર્તનમાં પ્રાસાદિક અભંગ એક પછી એક સ્કુર્યા તેમ તુકારામ બેલવા લાગ્યા, એટલે રામેશ્વર ભટ્ટે કહ્યું: “તારા અભંગોમાંથી કૃતિઓને અર્થ નીકળે છે અને તું શું ક હોવાથી શ્રતિઓના અર્થ કહેવાને તને અધિકાર નથી. તારી વાણી શાસ્ત્રવિરુદ્ધ હેવાથી શ્રોતાઓ અને વક્તાને નરકમાં પહોંચાડનારી છે, એટલે તું આજથી કવિતા રચીશ નહિ.” એના જવાબમાં તુકારામે કહ્યું: “પાંડુરંગે આજ્ઞા કરી છે, તેથી હું આ અભંગે રચું છું. એ બધી વાણ નકામી ખરચાઈ ગઈ. આપ બ્રાવણ હેવાથી ઈશ્વરમાં છે. આપની આજ્ઞા મુજબ હું હવેથી કવિતા રચીશ નહિ. પણ આજ સુધી રચાયેલા અભંગોનું શું કરું ?" Scanned by CamScanner
SR No.036484
Book TitleSant Tukaram
Original Sutra AuthorN/A
AuthorSastu Sahityavardhak Karyalay
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1966
Total Pages113
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy