SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સંત તુકારામ તે બ્રાહ્મણોના મુખથી જ અન્ય જાતિના માણસે એ સાંભળવા જોઈએ એમ વેદિકો માને છે. બીજો મુદ્દા જાતિસંબંધનો છે. જાતિબંધનો કડક રહેવાં જોઈએ. અંત્યજથી લઈને બ્રાહ્મણ સુધીના ઉચ્ચ-નીચના ભેદ વિદિક સંપ્રદાયમાં છે, જ્યારે ભાગવતધર્મ માં તે મનુષ્ય ગમે તે જાતિમાં જન્મ્યા હોય પણ જે તે શુદ્ધાચરણ અને ભગવદ્ભકા હોય તો તે માટે તે વંદનીય અને શ્રેષ્ઠ છે એવા સિદ્ધાંત છે. આથી શ્રેષ્ઠતા ફક્ત જાતિમાં જ ન રહેતાં “ભગવાનનો ભક્ત તે સર્વ શ્રેષ્ટએ સિદ્ધાંત થે. અને તેમાં સો ટચના સેનાનો કસ જાતિ ઉપર નહિ પણ સંત ઉપર લાગ્યા. એથી ભાગવત સંપ્રદાય બ્રાહ્મણોનું મહત્ત્વ ઘટાડનારો છે એવું ના મતવાદીઓ માની બેઠા. જ્ઞાનેશ્વર-એકનાથને હેરાન કરવામાં આ બે જ મુદા હતા, પણ તુકારામને હેરાન કરતી વખતે ત્રીજે એક મુદ્દા પણ આગળ આવે. સંત સર્વશ્રેષ્ઠ મનાય એટલે મહત્તા બ્રાહ્મણ પાસે ન રહેતાં સહજ રીતે જ સંત પાસે ચાલી જાય. તુકારામનું સંતપણું જેમ જેમ સિદ્ધ થવા લાગ્યું, તેમના શુદ્ધ આચરણની. ઉપદેશની, ભક્તિ–પ્રેમની પકડ જેમ જેમ લોકોના મન ઉપર મજબૂત થવા લાગી તેમ તેમ લોકોને સમૂહ તેમના ભજનમાં સામેલ થશે. આ મુમુક્ષુ લેકમાં દેહુના કુલકર્ણી મહાદાજી પંત, ચીખલીના કુલકણ મલ્હાર પંત, પૂનાના કેડે પંત, તળેગામના ગંગારામ વગેરે કેટલાય બ્રાહ્મણો પણ હતા. તુકારામની અs વાણું સાંભળીને એ ભ્રમરની જેમ કારામના ભક્ત અને ગયા. લોકોને શુદ્ધ ધર્મજ્ઞાન જોઈતું હતું, સાચું પ્રેમ જોઈતું હતું, એવે વખતે તેમને તુકારામ મળ્યા અને તેમના Scanned by CamScanner
SR No.036484
Book TitleSant Tukaram
Original Sutra AuthorN/A
AuthorSastu Sahityavardhak Karyalay
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1966
Total Pages113
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy