SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પપ પગલાં ઓળખવાને તે આખા નગરમાં ભમી પણ કઈ તે માણસ જડ્યો નહિ. કુમાર પણ દરરોજ કુંવરીના મહેલમાં આવતા અને તે પ્રમાણે કરતે. આમ કરતાં ઓગણત્રીસ દિવસો પસાર થયા. આથી સર્વ વેશ્યાઓ ચિંતાતુર થઈને વિમાસવા લાગી. ખરે, આપણું દશા પેલા રીંછને પકડનાર પુરુષના જેવી થઈ. એક વખત રાજગૃહને રહેવાસી એક માણસ ધન સાથે લઈને વ્યવસાય કરવા બીજે ગામ જતું હતું. વનમાં જતાં વચ્ચે તેને એક રીંછ મળ્યો. તેને મારવાને જ્યારે તે રીંછ તેની પાછળ પડ્યો ત્યારે તે માણસે તે રીંછના કાન પકડ્યા. જ્યારે જ્યારે તે રીંછ તેને મારવા આવતા ત્યારે તે તેના કાન આમળતો. આમ કરતાં તેની કેડમાંની વાંસળી તૂટી ને તેમાંથી કેટલીક સોનામહોરે નીચે પડી. જ્યારે જ્યારે તે કાન આમળતા ત્યારે સોનામહોરે નીચે પડતી. એ વખતે બાજુના રસ્તેથી જતા કેઈ બીજ મુસાફરે આ પ્રસંગ છે અને પૂછયું : હે ભાઈ, તમે આમ કેમ કરો છો? આ સાંભળી તેણે યુક્તિ વાપરીને જવાબ આપ્યોઃ આ રીંછના કાન સજજડ આમળીએ છીએ તે તેમાંથી સોનામહોરે પડે છેઆ સાંભળી લેમપૂર્વક તેણે તેને કહ્યું: હે મહાપુરુષ, તે તે રીંછ મને આપે જેથી કરીને હું પણ કેટલીક સોનામહોરો મેળવું. તેણે જવાબ આપેઃ આ ધન આપનાર રીંછ હું તને કેવી રીતે આપું ? તેણે વિનંતિ કરતાં કહ્યું: તમે કૃપાવાન છે માટે મારા ઉપર મહેરબાની દાખવી મને તે રીછ આપે. આમ તેણે વિનંતિ કરી એટલે मो. श्री लोसूसागर सूरि शान "मदि" તેણે પોતાના હાથસાક્ષી મેરેલી નહેરૂ ના. આ G! આ acudataanak Must
SR No.036482
Book TitleRupsen Charitra Yane Punya Prabhav
Original Sutra AuthorN/A
AuthorBakulchandra Lalchandra Shah
PublisherLaghajiswami Pustakalay
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy