SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સુદના 5 34ti Rii તેના મદ ઉપર તે ગજેન્દ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે. સાધુઓને નમન કરી સુદશના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરભાવને ધારણ કરનાર પ્રાણીઓ, વેરભાવને ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દેખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીઓ ! જેઓને તૃણુ અને મણિ પથ્થર અને સેનું સુખ અને દુઃખ એ સર્વ ઉપર સમદષ્ટિ છે. આ સમભાવના પ્રભાવથી જ રસ્વાભાવિક વૈરવિધવાળાં પ્રાણીઓ પિતાને વેરભાવ મૂકી દે છે. કેટલો બધો સમભાવનો પ્રભાવ આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારો જન્મ પવિત્ર થયો. હું આજે જ કૃતાર્થ થઈ મારા જીવનમાં આજનો દિવસ કાયમને માટે યાદગાર રહેશે. ઈત્યાદિ વિચાર કરતી સુદર્શન થોડેક દૂર ગઈ. આગળ જઈને જુવે છે તો દેવગણથી ઘેરાયેલો (વીંટાયેલો) જાણે ઈંદ્ર જ હોય નહિ, અથવા તારાગણથી પરિવરેલો ચંદ્ર જ હોય નહિ અથવા રાજવૃદથી ઘેરાયેલો ચક્રવર્તિ જ હોય નહિં તેવા અનેક મુનિ-વૃષભથી અને જન-સમુદાયથી વિંટાએલા ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સદર્શનાના દેખવામાં આવ્યાં. | 34 P.PAC Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy