________________ સુદર્શન / 145 - પ્રકરણ 21 મું સિંહલદ્વીપને છેવટને નમસ્કાર दिणरयणिघडियपहरछलेण मणुयाणं आउयं गलइ / इय जाणिऊण तुरियं सुधम्मकम्मुज्जुया होह // 1 // અવસરને ઉચિત હિતકારી, અવસરજ્ઞ, માગધે સૂર્યોદયની તૈયારી જાણી લોકોને ધર્મમાં જાગૃત થવા માટે જણાવ્યું. દિવસ, રાત્રી, ઘડી અને પ્રહરના બહાનાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એમ જાણી હૈ મનુષ્યો ! ઉત્તમ ધર્મકાર્યમાં તમે જલદી ઉદ્યમાન થાઓ. - રજનીકર (ચંદ્ર) મલિન થતાં નક્ષત્ર અને કુમુદની લક્ષ્મી પણ લુંટાવા લાગી. ખરી વાત છે કે કલંકવાળાની સોબતથી પરાભવ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સૂર્યના કિરણએ અંધકારને દર ફેંકી દીધો એટલે ગિરિગુફામાં શરણુ લેવા માટે દેડયો ગયો. મહાન પુરુષે શુદ્રોનું પણ રક્ષણ કરે છે, તે વાત સાચી છે. દિનકરે આશ્વાસન આપેલાં કમળનાં વન પ્રફુલ્લિત થવા લાગ્યાં. Rખરી વાત છે કે અંગીકાર કરેલ કાર્યને નિર્વાહ કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઇત્યાદિ ચંગાથથી બંદીવાને, સૂર્યોદય થયો છે તેમ રાજા પ્રમુખને જણાવ્યું. રાજા પ્રમુખ સર્વે પોતાનાં P.P Ac. Gunratnasuri M.S. - II૧૪પ Jun Gun Aaradhak