SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ 376 કમ-કૌતુક-૩ ( પતંગસિંહના ઘરમાં ખાવા બનાવવા માટે જે બ્રાહ્મણ આવતી હતી, એ પણ આ જોઈ ચકિત હતી કે શેઠ-શેઠાણી ની જોડી તો ઈન્દ્ર ઈન્દ્રાણી જેવી છે, પણ એ એક બીજા સાથે બોલતાં કેમ નથી? તેણે એક દિવસ સાહસ કરી શેઠ પૂનમચન્દ્ર રૂપી પતંગસિંહને પૂછ્યું તે તેણે ગુસ્સાના અવાજમાં કહ્યું કે તમારું કામ કર્યા કરે, અમારી ઘરની વાત સાથે તમારે શું મતલબ? બ્રાહમણી આ ઉદ્ધત જવાબથી ચૂપ થઈ ગઈ. છતાં પણ રહેવાયું નહીં તે રત્નમંજરીને પૂછી લીધું કે તમે શેડજી સાથે બોલતાં કેમ નથી ? રનમંજરીએ તે બ્રાહ્મણને એવી ધમકાવી કે બિચારી રડી પડી, : રઈ બનાવી બ્રાહ્મણ સીધી કાબૂ હજામના ઘરે ગઈ. તેણે વિચાર્યું કે શેઠ-શેઠાણના ભલાની વાત એમને પૂછતી હતી. પરંતુ બંનેએ મારું અપમાન કર્યું. હું પણ એમને બદલે લઈશ. આવો નિશ્ચય કરી. તેણે કાલ હજામને કહ્યું - ક “કાલૂ! પૂનમચન્દ્ર શેઠની શેઠાણી રત્નમંજરી રતિ કરતાં પણ ચડિયાતી છે. એ બંને વચ્ચે અણબનાવ છે. તું રાજાને કહે કે એ તેને પિતાના અંતઃપુરમાં લાવે. તું આ કામ કરાવી શકે છે. જે પણ પુરસ્કાર તને આપે, તેમાંથી અડધે ભાગ મારે રહેશે. P.P. Ac. Gunratnasuri M.S. 'Surf Gun Aaradhak Trust '.
SR No.036476
Book TitlePunyapal Charit
Original Sutra AuthorN/A
AuthorPushkar Muni Upadhyay
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1982
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size218 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy