________________ એકવીશ ભાવનો સ્નેહસંબંધ મને લઇને પોતાના પરિવાર સાથે નગરમાં ચાલ્યા ગયા. અમારો સાથે પણ સુભટોની સાથે દેવશાલપુર નગરે આવ્યો. મારે અને જયસેન કુમારને ત્યારથી ગાઢ મિત્રતા થઈ અરે અમે એક ભાઈ જેવા થઈ ગયા. હું રાજમહેલમાં રહેતો ને જયસેન કુમારની સાથે ખાતા, પિતા, ને સુખમાં મારે સમય પસાર કરતો હતો. જયસેન કુમારને એક નાની બેન હતી. તે સકલકળાને જાણનારી, અને સ્વરૂપવતી હતી. એ બાળાનું નામ કલાવતી. દેવ ! જેને આપ આ છબીમાં જુઓ છો ! જે મારી ધર્મની બેન છે. યૌવન વયને પામેલી આ બાળાને જોઈ રાજા રાણીને ચિંતા થઈ, એના સંબંધ માટે અનેક ઠેકાણે રાજાએ તપાસ કરી પણ ક્યાંય એનું મન માન્યું નહી. - રાજકુમારીની ચિંતાએ ચિંતાતુર થયેલા રાજાએ મને કહ્યું, દત્ત ! આ તારી બહેનને વિવાહ તુ જ કર. એને માટે યોગ્ય સ્થાન તું જ શેધી કાઢ.” - “આપનું વચન મને પ્રમાણ છે. >> વિજયરાજાનું વચન મેં અંગીકાર કર્યું. કલાવતીના સ્વરૂપનું આ ચિત્રપટ 'મેં તૈયાર કર્યું. જેવું તે બાળાનું સ્વરૂપ છે તેવું તો મેં મારી મતિમંદતાથી આલેખાયું નથી. એ ચિત્રપટ તૈયાર કરી રાજારાણીને બધી વાત સમજાવી હું ત્યાંથી રવાને થયે, તે ગઈ કાલે આવી પહોંચ્યો ને આજે આપની સેવામાં હાજર થયો. “દત્તકુમારે એ ચિત્રપટને લગતી પિતાની હકીકત ટુંકમાં કહી બતાવી, , , , * દત્તની આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામતો ને - વારંવાર ચિત્રપટને જોતાં બોલ્યો. “વાહ! મનુષ્ય કન્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust