________________ 86 પ્રિયંકરસૃપ ચરિત્ર. षष्ठं भुपतिसौम्यदृष्टिरतुला वासोऽभये सप्तम, सत्यैतानि मुखानि यस्य भवने धर्मप्रभावः स्फुटम् // 1 // આરોગ્ય, લક્ષ્મી, યશ, પતિવ્રતા સ્ત્રી, વિનયી પુત્ર, રાજાની અનુપમ સામ્ય દ્રષ્ટિ અને નિર્ભયપણું–આ સાત સુખ જેના ભુવનમાં હોય, ત્યાં સાક્ષાત્ ધર્મને પ્રભાવ સમજો.” પછી તે સાતે ઓરડા મેં બરાબર જોયા ત્યાં પ્રથમ ઓરડામાં સર્વ રોગોને હરણ કરનાર અને ચામરયુક્ત એવા આરોગ્ય દેવ મેં જોયા, અને બીજામાં સુવર્ણ, રત્ન અને માણિકયાદિક જેયા, ત્રીજામાં યાચકેને દાન આપતે એક મહેભ્ય (મેટે શેઠ) જે. ચોથામાં પતિભક્તિ કરતી એક સુંદરી દેવામાં આવી. પાંચમામાં વિનીત પુત્ર, પિત્ર અને વધુ વિગેરે સંપીલું કુટુંબ જોયું. છઠ્ઠામાં ન્યાય યુક્ત અને પ્રજાનું હિત કરનાર એ રાજા જે, અને સાતમામાં ઉપસર્ગહર સ્તવની ગણનામાં તત્પર એવો એક દેવ જે. પછી મેં ધરરેંદ્રને પૂછ્યું કે- હે ઈદ્ર ! આ દેવ આ સ્તવની ગુણના શામાટે કરે છે ?" ઈ કહ્યું - આ સ્તોત્રના ગુણનથી દેશ, નગર અને ઘરમાં સર્વ ભયથી રક્ષા થાય છે, અને મનોવાંછિત સિદ્ધ થાય છે. અહીં આ સ્તવની આમ્નાય, પ્રભાવ અને મંત્રને સૂચવનારાં પુસ્તક છે. અને જ્યાં શ્રી ધર્મ અને દયા વર્તે છે ત્યાં આ સાત સુખે સ્વયમેવ પ્રાપ્ત થાય છે. એમ કહીને તેણે મને સર્વ પ્રકારની વૈકિયલબ્ધિ બતાવી. ત્યાંથી આગળ ચાલતાં સુવર્ણ અને રત્નમય એક કિલે જોવામાં આવ્યા. ત્યાં સાત પ્રતોલી (મુખ્ય દ્વારમાં જવાના માર્ગો) હતી. પ્રથમ પ્રતોલીમાં જતાં મેં ચારે બાજુ વિવિધ કલ્પવૃક્ષોથી યુક્ત એવા સામાન્ય દેવતાઓના ભવન જોયા. બીજીમાં કીડાશુકે (પોપટ) ના સુવર્ણમય પાંજરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust