SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે પોતાની પુત્રીને શલ્યરહિત અને પટુતાયુક્ત જેઈને મંત્રી . વિચારવા લાગ્યું કે-અહે ! આ પ્રિયંકરે મારા પર મોટે ઉપકાર કર્યો છે, માટે આ મારી પુત્રી એનેજ આપવી એગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને મોટા આગ્રહપૂર્વક પિતાની પુત્રી યશોમતીનું પ્રિયંકરની સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેચન વખતે બહુ ધન અને રત્નાદિક આપીને મંત્રીએ તેને અત્યંત સત્કાર કર્યો. પછી તે પ્રિયા સહિત ઘેર જઈને પ્રિયંકર વિચારવા લાગ્યું કે “અહો ! આ બધા ઉપસર્ગહરસ્તવન ગુણનાનો જ પ્રભાવ છે. પછી પ્રિયંકર ચમત્યાદિક પિતાની પ્રિયાઓ સાથે વિવિધ ભેગ ભેગવતે અને ધર્મકાર્ય કરતો સુખે સુખે પિતાનો સમય વ્યતીત કરવા લાગે. હવે યશોમતી યક્ષવચનના પ્રભાવથી પ્રતિવર્ષે પુત્ર પુત્રીના યુગલને પ્રસવવા લાગી, તેથી તેને બહુ પુત્ર પુત્રી થયાં. તે સર્વનું લાલન પાલન, રક્ષણ, સ્તનપાન, ભેજન આપવા વિગેરે ચિંતા કરતાં તે અત્યંત ખેદ પામવા લાગી. તે બાળકોને પરસ્પર કળહ કરતા જોઈને તે ઉગ પામતી અને તેથી સુખે શયન કે ભોજન પણ કરી શકતી નહોતી. આથી તે ચિંતવવા લાગી કે-“ખરેખર વધ્યા સ્ત્રીજ જગતમાં શ્રેષ્ઠ છે કે જે નિરંતર વિષય, ભોજન, શયનાદિક બધું સુખ ભોગવી શકે છે. મેં તો કુકડીની જેમ પૂર્વે દુષ્કર્મ જ કર્યા જણાય છે, માટે હવે પછી મારે કેઈની પણ નિંદા ન કરવી. કહ્યું છે કે "परनिंदा महापापं, गदंति मुनयः खलु / જ છે પરામૂતિ , પરત્ર નો થા” I ? / કે " પરનિંદા એ મોટામાં મોટું પાપ છે, એમ મુનિઓ કહે છે. જેના વેગે આ લોકમાં પરાભવ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy