________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. માટે દ્રવ્યાદિકના ઈચ્છક પુરૂષે ચારે બાજુ સરખું (ખંડ) ઘર કરાવવું.” પછી પ્રિયંકરે તે આવાસમાં યક્ષમૂત્તિને ઠેકાણે શ્રી પાર્શ્વપ્રભુની મૂર્તિ વિધિપૂર્વક આળેખાવી અને પછી ચૈત્રમાસની અડ્રાઈમાં તે આવાસની અંદર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ સિંહાસન ઉપર સ્થાપી, ધૂપ દીપાદિક કરી, પવિત્ર થઈને પ્રિયંકર પોતે દરરોજ પાંચ વખત ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવા લાગે. આઠમે દિવસે ઘરમાં રહેલ તર બાળગીનુંરૂપ કરીને ત્યાં આવી તેના ધ્યાનમાં ભંગ કરવા માટે કહેવા લાગે કે- હે સજજન ! તું કૃપાળું છે, માટે ગાકાંત એવા મારું રક્ષણ કરે. હું માતપિતા રહિત નિરાધાર રંક છું, માટે મારા પર દયા કરીને ઔષધાદિકથી મારા પ્રાણ બચાવ.” એ પ્રમાણે તેણે વારંવાર પ્રાર્થના કરી, છતાં પ્રિયંકર કોઈ બોલે નહિ, એટલે તે વ્યંતર હાથી, સિંહ અને સર્પાદિકનું રૂપ વિકૃવીને તેને ભય પમાડવા લાગે, તથાપિ તે પિતાના ધ્યાનથી ચલાયમાન થયે નહિ, પરંતુ પ્રથમ કરતાં વિશેષ ઉપસર્ગહરસ્તવનો પાઠ કરવા લાગ્યું. તે તેત્રપાઠના પ્રભાવથી દુષ્ટ વ્યંતર ત્યાંથી પલાયન કરી ગયે. પછી પ્રિયંકરના કહેવાથી તે ધનદત્ત શેઠ પરિવાર સહિત સુખે તે આવાસમાં રહ્યો. ત્યારપછી ત્યાં બીલકુલ ઉપદ્રવ થયે નહિ. પ્રિયંકરના ઉપકારથી સંતુષ્ટ થયેલા ધનદત્ત શ્રેણીએ મોટા આગ્રહથી પિતાની શ્રીમતી પુત્રી સાથે મહોત્સવપૂર્વક તેનું પાણિગ્રહણ કરાવ્યું, અને કરમેચનનાં અવસરે તેણે રત્નસુવર્ણજડિત હાર તથા કેયૂર (બાજુબંધ) વિગેરે આપ્યાં. પછી શ્રીમતીની સાથે પિતાને ઘેર આવીને પ્રિયંકર નાના પ્રકારનાં સુખ ભોગવવાં લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust