________________ શ્રી કૃષ્ણના પુત્ર પ્રધુમ્ન કુમારનું ચરિત્ર વર્ણવીશ. મહસેન વિગેરે વિદ્વાન સૂરિવરેએ જેનું વર્ણન કરે. લું છે, તે વર્ણન હું બાળક શી રીતે કહી શકીશ? તથાપિ તેઓના ચરણ કમળમાં પ્રણામ કરવાથી ઉપાર્જન કરેલા પુણ્યવડે આ પ્રદ્યુમ્ન ચરિત્ર નામનો ગ્રંથ કહેવામાં મને શ્રમ પડશે નહીં. નિરંતર નિમિળ ચિત્તવાળા, પર નિંદા કરવામાં સ્તબ્ધ અને સર્વ પ્રાણુઓના ઉપકારી એવા સજ્જનોને નમસ્કા૨ થાઓ. જેમને પ્રસાદ પ્રાપ્ત કરી મનુષ્ય નિપુણ થાય છે, એવા છિદ્ર શોધનાર દુર્જન પણ ભલે નિંદા કરે. કૃષ્ણ વાસુદેવના પુત્રનું ચરિત્ર કહ્યાં ! અને મારી અલ્પ બુદ્ધિ કયાં ! બે હાથ વડે વિશાલ અને અગાધ સમુદ્ર કણ તરી શકે ? હું મંદ બુદ્ધિ છતાં કવિપણની કામના રાખું છું, તેથી હાસ્યને પાત્ર થઈશ. ઠીંગણો માણસ ઉંચા વૃક્ષનાં ફળ પતાને હાથે લેવાની ઈચ્છા કરે છે, લઘુતાન પામે, તે નથી. માત્ર પવિત્ર ઉત્સાહથીજ આ પાપને નાશ કરનારૂં ચરિત્ર કરૂં છું. જ્યારે ઈંદ્રો ઉત્તમ પુષ્પથી જિન પૂજા કરે ત્યારે માણસો સામાન્ય જાતિનાં પુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust