________________ આવ્યું છે. આવા સંસ્કૃત શબ્દ રાખવામાં આવ્યાથી ભાષાંતર કઠીણ થવાને બદલે વધારે રસીક થયું છે, એમ વાચક વર્ગને જણાયા વગર રહેશે નહિ. હવે ભાષાંતર કેટલે દરજે સરલ અને હૃદયને રંજન કરનારું થયું છે, તેને તેલ કરવાનું કામ ચતુર વાચકોનું છે. તેથી તે સંબંધમાં અત્ર અમારે બેલવું, તે અનુચિત છે. માટે આ ગ્રંથની પ્રસિદ્ધિનું કાર્ય શી રીતે ઉદ્ભવ્યું, અને પાર પડયું, તેજ વિષય ઉપર અમે થોડા શબ્દો કહીને આ પ્રસ્તાવિના પૂરી કરશું. " શેડ દામજી અરજણની કુ. ના કરતા કારવતા શેઠ પાસવીર અરજણ, જેઓ બહુ ધાર્મિક અને ઉંદાર હૃદયના છે, ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા અનુકરણીય છે, અને જૈન ધર્મના ઉદ્ધાર અને ઉન્નતિને માટે જેઓ તન, મન, ધનથી હમેશાં મદદ આપતા આવ્યા છે, તે શેઠ પાસવીર અરજણની ઉદાર મદદથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પ્રસિદ્ધિનું તમામ ખર્ચ ઊત શેઠ શ્રીએ પિતાની કુ. તરક્કી અપાવ્યું છે, અને તેથી આ પુસ્તકનું નામ શેઠ દામજી અરજણની કુ. ની જૈન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust