________________ 227 : - જ - આપી ઉત્તમ આસન ઉપર બેઠા. રાજાએ પ્રેમ વાર્તા કશે. ક્ષણવાર રહી નારદજી બોલ્યા– રાજેદ્ર ! તમારું અંતપુર જોવાની મારી ઇચ્છા છે. રાજા બેલ્યોસ્વામી ! સત્વર પધારે, તમારા ચરણ કમળની - જેથી મારાં ઘરને પવિત્ર કરો. એમ કહી મુનિ વેગથી રુકિમણીના પુત્રને જોવાની ઈચ્છાએ રાજ ભવનમાં ગયા. મુનિને આવેલા જોઈ રાણી કનકમાલા બેઠી થઈ, અદ્વૈપાદ લઈ સામી આવી, મહર્ષિને યોગ્ય આસન આપ્યું. ક્ષણવાર પછી નારદજી બોલ્યાદેવી ! મેં સાંભળ્યું હતું કે, તમારે ગૂગર્ભથી એક પુત્ર થયો છે. રાણી બેલી– નાથ ! તમારા પ્રસા- દથી તેમ થયું છે. મુનિ બોલ્યા- દેવી ! તે સુખ* કારી પુત્ર મને બતાવશે ? તત્કાલ કનકમાલા ઉઠી અંદરથી પુત્રને લાવી, નારદના ચરણજીમાં મુકો. નારદજીએ તે બાલકને જોઈ આશીષથી અભિનંદન આપ્યું. નારદજી બોલ્યા- વત્સ ! ચિરંજીવી રહેજે, ચિરકાલ આનંદ ભેગવ, અને સુખી થજે. અર્ભક ! અમારી આશીષથી તું તારા માતા પિતાના મનોરથ પૂરા કરજે, પછી દેવીને કહ્યું, રાણું ! તમારો આ પુત્ર ભવ્ય લક્ષણવાળો છે. અતિ પુણ્ય તમે જણેલે આ P.P.Ac. Guiratnasuri M.S. Jun Gun Aaradhak Trust