________________ 205 છે. દેવીએ પિતાની જાતે તે પત્ર, જે મધુ રાજાએ મોકલ્યો હતો, તે વાંચવા માંડશે. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું . . . . . . * જ છે, - " સ્વસ્તિ શ્રી વટપુરમાં હેમરથ રાજાને કુશળ પ્રશ્ન પૂર્વક લખવાનું કે, તમારી ભક્તિથી હું ઘણે સંતોષ પામ્યો હતો. તમને હું એક મિત્ર તરીકે માનું છું. મારા રાજ્યમાં તમારા જેવા કે બીજો મિત્ર નથી. મારું બધું રાજ્ય તમારૂં છે, એમ જાહો. તમારે મારી સાથે જુદાઈ જાણવી નહિ. આપ્રમાણે મનમાં લાવી, મારી ઉપર પ્રીતિ કરી, તમારે તમારાં પાણીની સાથે અહીં આવવું. હું એક માસ સુધી મેટા ઉત્સવ સાથે રાજ કુટુંબ સહિત વનમાં જઈ વસંત્સવ કરવાનો છું. તે પ્રસંગે બીજા રાજાઓને પણ અંતાપુર સાથે બોલાવ્યા છે, તેથી તમારી ચંદ્રપ્રભા રાણુને લઈ અવશ્ય આવવું.” આ છે આ પત્ર વાંચી રાણી ચંદ્રપ્રભાએ કહ્યું, સ્વામી ! મારું એક વચન સાંભળે. રાજા પિતે સેવકની ઉપર અતિ આદર કરે તે ઘટિત નથી, એમાં કાંઈક ભેદ છે. હે સ્વામી ! તમે મારા સિવાય ત્યાં જાઓ. કદિ રાજા મને જોશે તે જરૂર મારું હરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust