SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ( 282 ) શ્રી પ્રભાવક ચરિત્ર. વદ તેમણે આ પ્રમાણે રાજાને કહી સંભળાવ્યો– વેતાંબર, ઉલ્લાસમાન કીર્તિના વિકાસથી મનહર તથા નયમાર્ગના વિસ્તારની રચનાના સ્થાનરૂપ એવા સ્ત્રીનિર્વાણુને સ્થાપન કરે છે, કે જ્યાં કેવલી રૂપ હસ્તીઓ સદા પરવાદીના અભિમાનને જીતનારા છે. હે ચૅલયવંશી રાજન ! તે શ્રીજિનશાસન અને તમારે રાજ્ય ચિરકાળ જય પામે.” એવામાં અનેક રાજાઓના વિદ્વાનોના વિજયથી શોભા પામનાર એવા કમુદચંદ્ર વાદીએ સિદ્ધરાજને આશિષ આપતાં જણાવ્યું કે– સૂર્ય ખદ્યોત જેવો લાગે છે, ચંદ્રમા જીણું ઉન સમાન ભાસે છે અને પર્વતે મચ્છર જેવા બની ગયા છે–એ પ્રમાણે વર્ણન કરતાં હે ભૂપાલ ! તમારો યશ સ્મૃતિગોચર થયા કે જ્યાં આકાશ ભ્રમર સમાન ભાસે છે, તેથી વાણી બધી મુદ્રિત થઈ જાય છે.' તે વખતે મહર્ષિ, કલાનિધાન ઉત્સાહસાગર અને પ્રજ્ઞાશાળી રામ એ રાજાના સભાસદ હતા. તે કહેવા લાગ્યા કે –“વાણુ મુદ્રિત થઈ ગઈ, એમ જે દિગંબરનું કથન છે, તે અચુકત છે માટે જ્યાં સ્ત્રીનિર્વાણ-જ્ઞાનીનિર્વાણ છે, ત્યાં અવશ્ય જય છે. " વળી ભાનુ અને મહાકવિ શ્રીપાલ શ્રીદેવસૂરિના પક્ષમાં તેમજ દિગબરના પક્ષમાં ત્રણ કેશવ માન્ય હતા. એટલે દિગંબરના પક્ષ થકી કંઈક હાસ્યગર્ભિત વચન સાંભળતાં મદ અને ઉત્સાહ યુક્ત ઉત્સાહ ત્યાં સ્પષ્ટાક્ષરમાં છેલ્યા કે –“વસ્ત્રાવૃત અને દૂષણ રહિત સાધન બતાવતાં સભામાં આ કેશલેચીના કેવળ ત્રણ કેશવ સભાસદ છે.” પછી દેવસૂરિએ દિગંબરને વિનંતિ કરી કેકંઇ પ્રાગ બાલે,” એમ કૌતુકથી સમ્યક્ પ્રકારે આદેશ કર્યો. એટલે તે દિગંબર કહેવા લાગ્યો કે સ્ત્રીભવમાં રહેલા જીવને તુચ્છ સત્ત્વને લીધે નિર્વાણ નથી, કારણકે જ્યાં તુચ્છ સત્વ છે ત્યાં મુક્તિ નથી. આ સંબંધમાં બાળક, તુચ્છ પુરૂષ અને અબલાવતાર–એ ઉદાહરણરૂપ છે, માટે ત્યાં નિર્વાણુ નથી.” ત્યારે શ્રીદેવસૂરિ તેના વચનને અસિદ્ધ કરતા બોલ્યા કે –“મરૂદેવા સ્ત્રીભવે મુક્તિ પામ્યા, એ વાત આગમમાં માન્ય છે. જે એ વાત તારા જાણવામાં ન આવી હોય, તો આગમને અભ્યાસ કર. તે સિદ્ધાંતના માર્ગનું ઉલ્લંઘન કરીને જે નિશ્ચય કરો, તે અન્યાય છે. વળી અને કાંતિકપક્ષને લઈને તારો હેતુપણ દૂષિત છે. કારણ કે મહાસત્તશાળી સ્ત્રીઓ પણ આગમમાં પ્રત્યક્ષ દેખાય છે તે સીતાદિ આગમમાં સિદ્ધ છે, તેમજ મહીપતિની માતા શ્રી મયણલ્લાદેવી સાક્ષાત સત્વ અને ધર્મના એક સ્થાનરૂપ છે. એમ પ્રતિ વ્યાપ્ત પ્રાપ્ત થતાં તારી એ વ્યાપ્તિ અસત્ય ઠરે છે. સ્ત્રીઓ બધી તુચ્છ જે તે પ્રતિપાદન કરે છે, તે તેમનામાં સત્વ ઉપલબ્ધ થવાથી એ વચન પણું અસિદ્ધ છે. વળી સ્ત્રીનિવાણ પણ તેથી સિદ્ધ થયેલ હોવાથી તારૂં ઉદાહરણ પણ દૂષિત છે. તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy