SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર. (258 ) Wથી આબાદ એવો મહીધર નામે શ્રેષ્ઠી હતું કે જે પોતાના ધનની સંખ્યા શિવાય સર્વત્ર વિચક્ષણ હતો. ધનદેવીથી ઉત્પન્ન થયેલ અભયકુમાર નામે તે શેઠનો પુત્ર હતો કે જેના ગુણગાન કરવામાં શેષનાગ પણ સમર્થ ન હતો. તે પુણ્યવાન શ્રેષ્ઠી પોતાના પુત્ર સહિત, આચાર્ય મહારાજને વંદન કરવા ગયો. ત્યાં સંસારની અસારતાને જણાવનાર ચતુર્વિધ ધર્મ તેણે ગુરૂના મુખથી સાંભળે. ગુરૂના ઉપદેશથી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ લેવાને ઉત્સુક થતાં તેણે પિતાના પિતાની અનુમતિ માગી. એકાએ અનુજ્ઞા આપતાં ગુરૂ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. પછી તેણે ગ્રહણ અને આસેવનારૂપ બને શિક્ષા ગ્રહણ કરી, અને સિદ્ધાંતનો અભ્યાસ તથા તેનું ચિંતવન કરતાં મહા ક્રિયાનિઝ એવા તે મુનિ શ્રી સંઘરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન શોભવા લાગ્યા. એટલે શ્રી વદ્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરસૂરિએ ગુણના નિધાન એવા તે મુનિને આચાર્ય પદવી આપી અને શ્રીમાન અભયદેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. પછી યશની સાથે હળવે હળવે વિહાર કરતા શ્રી અભયદેવસૂરિ પત્યપદ્ર નગરમાં આવ્યા. ત્યાં શ્રીદ્ધમાનસૂરિ આયુષ્ય સમાપ્ત થતાં અનશન લઈને સ્વર્ગે ગયા. એવામાં તે વખતે ભિક્ષનો ઉપદ્રવ થતાં દેશની દુર્દશાને લઈને સિદ્ધાંત તથા તેની વૃત્તિને ઉચ્છેદ થવા લાગે, તેમાં જે કંઈ સૂત્ર રહ્યા, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. આ બધી સ્થિતિ ઉપસ્થિત થઈ, તેવામાં એકદા અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન અને મગ્ન રહેલા શ્રી અભયદેવ મુનીશ્વરને નમસ્કાર કરીને શાસનદેવી કહેવા લાગી કે–પૂર્વે નિર્દોષ એવા શ્રી શીલાંગકેટ (શીલકોટિ) નામના આચાયે અગીયાર અંગની વૃત્તિ બનાવી છે. તેમાં કાલને લઈને બે અંગ વિના બધા વિચ્છેદ ગયા છે. માટે સંઘના અનુગ્રહથી હવે તેની વૃત્તિ રચવાને ઉદ્યમ કરો.' ત્યારે આચાર્ય બોલ્યા–“હે માતા ! હું અલ્પમતિ જડ શું માત્ર છું. શ્રી સુધમાંસ્વામીએ બનાવેલ ગ્રંથે જોવાની પણ મારામાં બુદ્ધિ નથી. એવા અજ્ઞપણથી કયાં ઉસૂત્ર કહેવાઈ જાય, તે મહાપાપ લાગે. પ્રાચીન આચાર્યોએ તેવા પાપનું ફળ અનંત સંસારનું ભ્રમણ બતાવેલ છે. વળી તમારી વાણું પણ અલંઘનીય છે. માટે આદેશ કરો, હું શું કરું? " એમ મનની વ્યામૂઢતાથી કંઈક ઉત્તર સાંભળવાની ઈચ્છાથી તે મૅન રહ્યા. એવામાં દેવી કહેવા લાગી કે –“હે સુજ્ઞ શિરેમણિ! સિદ્ધાંતના અર્થ વિચારમાં, હું વિના ચિંતાએ કહું છું કે તારામાં ગ્યતા છે, એમ હું માનું છું. તેમ કરતાં કદાચ સંદેહ પડે તે મને પૂછજે, હું સીમંધર સ્વામી પાસે જઈને તે પૂછી આવીશ. માટે ધીરજ ધરીને તેને પ્રારંભ કર. મારા વચનમાં શંકા લાવીશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy