SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂરાચાર્ય–ચરિત્ર. ( 247 ). એમ સાંભળતાં સૂરાચાર્યું કંઈક હાસ્યપૂર્વક કહેવા લાગ્યા–આવા પ્રકારના વિદ્વાને આજ દેશમાં છે. અન્યત્ર નહિ હોય. પૂર્વે સરસ્વતી કુમારી અને બ્રહ્મચારિણી અમારા સાંભળવામાં આવી છે, અને અત્યારે તેમાં વધુતરીકે બતાવી છે. એ તો અપૂર્વ આશ્ચર્ય છે. વળી બીજું પણ કંઈક હું તમને પૂછવા માગું છું કે–દક્ષિણ દેશમાં જેમ મામાની પુત્રી સાથે સંબંધ થાય છે. સૌરાષ્ટ્રમાં બ્રાતાની પત્ની જેમ દીયર પરણી શકે, તેમ તમારા દેશમાં લઘુ બંધુના પુત્રની વહુ ગમ્ય હશે કેમ? કે જેથી વધુ શબ્દની સમીપ “માનસે રમતાં મમ” એ પ્રયોગ કર્યો. તેથી દેશાચાર ભિન્ન ભિન્ન હોય જ છે.” આ પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ એવા ઉપાધ્યાયે વચમાં બીજી વાતો ચલાવી અને તે વખતે શિષ્યોનો અભ્યાસ બંધ રાખીને ત્યાં સમય વ્યતીત કર્યો. પછી સંધ્યા વખતે તે અધ્યાપક ભોજ રાજા પાસે ગયો અને તેણે રાજાને આશ્ચર્યકારી તે વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં વિસ્મય પામેલ રાજા કહેવા લાગ્યો કે “ગુર્જરભૂમિમાં એ બધું સંભવિત છે. માટે પ્રભાતે અવશ્ય એ વિદ્વાનને બોલાવીને જઈશું.” પછી રાજાએ પ્રભાતે તે મઠના આચાર્ય પાસે તે. અતિથિને બોલાવવા માટે પિતાના સેવકો મોકલ્યા અને ભક્તિપૂર્વક તેમને બોલાવ્યા. એટલે ચૂડસરસ્વતી આચાર્યની સાથે સૂરાચાર્ય સ્વર્ગસભા સમાન ભોજરાજની સભામાં ગયા. તે વખતે રાજાએ રાજભવનના આંગણે એક શિલા, ગુર્જર વિદ્વાન પાસે પોતાની કળા બતાવવા માટે મૂકાવી હતી. તેમાં એક છિદ્ર કરાવીને તે પ્રથમથી જ કાદવથી પૂરી દીધેલ હતું. કારણ કે તેવા પુરૂષો પણ છળ જેનારા હોય છે. હવે તે આચાર્યને આવતા જોઈને રાજાએ લક્ષ્યમાં દષ્ટિ સ્થાપતાં કર્ણ સુધી ધનુષ્ય ખેંચીને બાણ છેડયું. સૂરાચાર્યે પણ સૂમ દષ્ટિથી કાદવથી પૂરેલ શિલામાંનું છિદ્ર જોઈ લીધું. તે બાણના અગ્રભાગથી ભેદાયેલ જોતાં આચાર્ય તેવા અર્થને સૂચવનાર એક કાવ્ય બોલ્યા " विद्धा विद्धा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन, श्रीमत्पाषाणभेदव्यसनरसिकतां मुंच मुंच प्रसीद / वेधे कौतूहलं चेत्कुलशिखरिकुलं बाणलक्षीकरोषि, અહો ! આ શિલાને તો તે વિધી નાખી, હવે ધનુષ્યક્રીડાથી સ. માટે પ્રસન્ન થઈને પાષાણ ભેદવાના વ્યસનની રસિકતાને તું મૂકી દે. જે લક્ષ્ય ભેદવામાં તને કુતૂહલ છે અને કુળપર્વતાને બાણના લક્ષ્ય બનાવે છે, તો હું નૃપતિલક ! નિરાધાર બનેલ આ પૃથ્વી પાતાળમાં પેસી જશે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy