SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂરાચાર્ય–ચરિત્ર. (ર૪૩) નાર તેણે એક હાથી, પાંચસો અવે અને એક હજાર પદાતિ સાથે આવ્યા. પછી નક્ષત્ર, વાર અને ગ્રહયુક્ત શુભ મુહૂર્તે તેમાં પણ ચર લગ્ન અને ક્રૂરગ્રહ બરાબર જઈને ગુરૂ અને શ્રી સંઘની અનુજ્ઞા મળતાં સૂરાચાર્યે નગર બહાર પ્રયાણ કર્યું અને ત્યાંથી શુભ આકૃતિવાળા એવા તેમણે પાંચમે દિવસેં પ્રયાણ કર્યું. પછી ગુજર ભૂમિથી નીકળતાં અ૫ પ્રયાણેમાંજ તેઓ સરહદની ભૂમિમાં આવી છે હોંચ્યા. એટલે અતિશય પ્રજ્ઞાવાન અને જ્યશીલ એવા તે સજજ થયા. ત્યાં પ્રધાનેએ પોતે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે ધારાનગરીમાં આવીને તેમણે પિતાના સ્વામીને તે વાત નિવેદન કરી. જેથી ભારે ઉત્સાહ લાવી પાસેના પર્વતો વડે વિંધ્યાચલની જેમ મનોહર હસ્તીઓ, ગર્જારવ કરતા અનેક વાદળાંવડે આકાશની જેમ રથ, કલૈલથી શોભતા સમુદ્રની જેમ શ્રેષ્ઠ અને અને તારાઓથી વિરાજમાન ચંદ્રમાની જેમ પદાતિઓથી શોભાયમાન એ અવંતિનાયક ભોજરાજા સર્વ સમૃદ્ધિપૂર્વક સૈન્ય લઈને તે મુનીશ્વરની સન્મુખ આવ્યા. એવામાં અમાત્યના ઉપરોધથી ગ્રતાચારના વ્યતિક્રમમાં પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતા આચાર્ય હસ્તીપર આરૂઢ થયા. પછી નજીકમાં આવતાં આચાર્ય અને રાજા બને હસ્તીપરથી નીચે ઉતર્યા અને ભ્રાતાની જેમ ભેટી પડયા. પછી રાજાની આજ્ઞા થતાં કશાધ્યક્ષ, દેશાંતરથી આવેલ મહાવિદ્વાનને ઉચિત અને પ્રવાલથી જડેલ એક પટ્ટ(પાટ)લઈ આવ્યું, જે લંબાઈ અને વિસ્તારમાં એક હસ્તપ્રમાણુ, આઠ અંગુલ ઉંચે અને તેજબિંબની જેમ દષ્ટિથી જોઈ ન શકાય એવા તે પટ્ટને સ્થલ ગાલિચાથી આચ્છાદિત કરી નિયુક્ત પુરૂષોએ રાજાની આજ્ઞાથી શુદ્ધ ભૂમિ પર સ્થાપન કર્યો, પછી રાજાએ આચાર્યને કહ્યું કે- આ પટ્ટપર આપ બિરાજમાન થાઓ; એટલે રજોહરણથી ત્રણવાર પુંજીને સૂરિરાજ તેનાપર બેઠા. ત્યારે ભેજરાજા બે કે–આ ઉન અને પી. છાને પુજવાનું શું હોય ? શું એમાં રજનું પ્રમાર્જન કર્યું ? કે જીવનું ? કારણ કે જીવોને એમાં સંભવ નથી. એવામાં ત્યાં બેઠેલા આચાર્યનું શરીર કંપવા લાગ્યું. ત્યારે રાજાએ પૂછયું કે– તમારું શરીર કેમ કંપે છે?” એટલે સૂરિ બોલ્યા-રાજપત્ની અને શસ્ત્રધારીઓને જોઈને મને ભય ઉપજે છે.” એમ સાંભળતાં રાજાએ જણાવ્યુંએ તો રાજાઓની એવી જ સ્થિતિ S.. કપ હોય છે એમ સાંભળતાં ; ત્યારે આચાર્ય બાલ્યા– તે અમારા વ્રતની પણ એવી જ સ્થિતિ છે.” એટલે રાજાએ કહ્યું- ઠીક.” પછી હર્ષિત થયેલ રાજાને કલાનિધાન આચાર્યે ધર્મલાભરૂ૫ આશિષ આપીને જણાવ્યું કે હે ભોજરાજ ! જ્યાં સુધી વિધાતા તારા નક્ષત્રગણુને લવણું સમુદ્રમાં નાખીને સંધ્યા-તેજને અગ્નિમાં સમા. વી દે છે, ધાત્રી–પૃથ્વીરૂપ પાત્ર મૂકાવીને જ્યાં સુધી દ્વિજવર મહામંત્રને શેષ ચલાવી રહ્યા છે, ઉષા (પ્રભાત) રૂપ શાકિની જ્યાં સુધી વારંવાર ચંદ્રરૂપ ઘરને P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy