SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ( 212 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. . હવે શ્રી શાંતિસૂરિમહારાજ ચૈત્યમાં રહીને બત્રીશ શિષ્યને પ્રમાણુ શાસ્ત્ર ભણાવવા લાગ્યા. એવામાં ચૈત્ય પરિપાટી કરવાની ઈચ્છાથી નલનગર થકી શ્રી મુનિચંદ્રસૂરિ અણહિલપુરમાં આવ્યા. ત્યાં ભારે સંપત્તિથી સુશોભિત જિનાલયમાં શ્રી ઋષભસ્વામીને વંદન કરીને તેમણે આચાર્ય મહારાજને પ્રણામ કર્યા. તેમણે અન્ય જનોની પ્રજ્ઞામાં ન આવી શકે અને દુબોધ એવા બદ્ધતર્કોના પ્રમેય બધા ધારી લીધા હતા. એટલે અભ્યાસમાં એકાગ્ર ધ્યાન રાખતાં ત્યાં આવી પુસ્તક વિના આગળ બેસીને તેમણે દશ દિવસ સુધી તે બધું સાંભળ્યું. એવામાં એકદા દુર્ઘટ પ્રમેય ગુરૂએ અનેકવાર સમજાવ્યા છતાં શિષ્યના સમજવામાં ન આવવાથી ગુરૂ ખેદ પામ્યા, અને “આ તો ભસ્મમાં ધૃત નાખવા જેવું થયું ? એમ કહીને તેમણે નિસાસે નાખ્યો. ત્યારે શ્રી મુનિચંદ્રસૂરિએ ગુરૂ મહારાજને વિનંતિ કરી કે–જે પ્રકૃષ્ટ પ્રજ્ઞાથી ઉન્નત છે, તથા જે પુસ્તક લઈને અભ્યાસ કરે છે, તેઓજ અહીં ગુરૂની સમક્ષ બેસીને બોલી શકે છે કે સર્વથા અલક્ષિત અને બહારથી આવેલ હોય, તે પણ બોલવા પામે છે કે નહિ ? હું ભગવાન! તે જણાવો.' , એ પ્રમાણે હૃદયને ચમત્કાર પમાડનાર તેમનું વચન સાંભળતાં ગુરૂ બોલ્યા શિષ્યની પ્રજ્ઞાને અમારે પક્ષપાત છે, અન્ય કંઈ કારણ નથી. આજથી પૂર્વે સોળમે દિવસે જે અમે દુર્ધટ વ્યાખ્યાન કર્યું હતું, તે અભિપ્રાયથી આજે તેનું વિવેચન કરી બતાવ્યું,” એમ સાંભળતાં, ગત દિવસ સુધી જેટલા દિવસ તેમણે જે અનુક્રમે વ્યાખ્યાન કર્યું હતું, પરવિદ્વાનેને હું શ્રવ એવું તે બધું અનુક્રમથી તે સુજ્ઞ મુનિચંદ્રસૂરિએ વ્યાખ્યાન કરી બતાવ્યું. જે સાંભળતાં ભારે સંતોષ પામીને શ્રી શાંતિસૂરિએ તેમને આલિંગન આપ્યું અને પોતાની નજીક બેસારીને જણાવ્યું કે “તમે તો રેણુથી આચ્છાદિત થયેલ રત્ન છે. હે વત્સ! હે સરળ મતિ ! મારી પાસે પ્રમાણશાસ્ત્રોને અભ્યાસ કર આ નશ્વર દેહનો અહીં લાભ લઈ લે.' - ત્યારે મુનિચંદ્રસૂરિએ પુન: વિનંતિ કરી કે –“હે પ્રભો ! સ્થાનના અભાવે અહીં શી રીતે અભ્યાસ કરે? કારણ કે અહીં તેવું સ્થાન દુર્લભ છે” આથી તેમણે શાળાની પાછળના ભાગમાં શ્રાવકો પાસેથી તેમને રહેવા માટે સુંદર સ્થાન અપાવ્યું. પછી વર્દશનના પ્રમાણુ શાસ્ત્રોને તેમણે પરિશ્રમવિના અભ્યાસ કરી લીધે, કારણકે અધ્યાપક-અભ્યાસીને આવો યોગ થવો દુર્લભ છે. પછી તે નગરમાં સર્વ સંઘના ચારિત્રધારી સુવિહિત સાધુઓના ઉપાશ્રય થયા, ત્યાં શ્રી શાંતિસૂરિએ વાદરૂપ નાગને દમવામાં નાગદમની સમાન ઉત્તરાધ્યાય ગ્રંથની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy