SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ( 134) jર " શ્રી પ્રભાવક ચરિત્ર. દિવસ પણ ખરેખર આ પવિત્ર સમજ, પરંતુ આમરાજાની સાથે મારે વિગ્રહને દુગ્રહ કદાગ્રહ છે. તેથી એમને બોલાવ્યા પછી એ પાછા જાય, તે મારું અપમાન થાય. માટે તે મુનીશ્વરને પૂછવાનું છે કે તે રાજા પોતે મારી પાસે આવી તમારી સમક્ષ અનુમતિ માગીને તમને તેડી જાય, તો તમારે જવું નહિ. એ પ્રમાણે રાજાની આજ્ઞાથી સુજ્ઞ પુરૂષાએ એ બાબત આચાર્યને નિવેદન કરી એટલે તેમણે એ વાત કબૂલ રાખી, અને તેથી ધર્મરાજા પરમ આનંદને પામ્યો. પછી આમ રાજાએ કરેલ પ્રવેશ મહોત્સવ કરતા પણ અધિક તેણે આચાયને નગરીમાં પ્રવેશ મહોત્સવ કર્યો. , પછી સાક્ષાત્ ધર્મમૂર્તિ એવો ધર્મભૂપ ગુરૂ સન્મુખ આવીને બેઠો એટલે વિદ્વાનેમાં ચક્રવત્તી સમાન એવા પંડિતરાજે જણાવ્યું કે –“સુંદર ચરણમાં રક્ત, સદા સદગતિને ઇચ્છનારા, ધવલ પક્ષવાળા, ગુણપરિચયથી હર્ષ પામનારા સદ્દગુણના અતિશયને ધારણ કરતા સૌમ્ય અને કમનીય એવા અમે પરમ કવિઓ હે રાજ! આપની પાસે આવતાં સત્વર સન્માનપાત્ર થયા છીએ.” અહીં પણ પોતાની કાવ્ય કથનની લીલાથી સભાને આનંદ પમાડનાર શ્રી બપ્પભટ્ટસૂરિ દેગુંદક દેવની જેમ સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે અહીં પ્રભાતે આચાર્ય ન આવવાથી આમરાજાએ નગરમાં અને બહાર ગામડાંઓ વિગેરેમાં તેમની શેધ કરાવી, છતાં બાળમિત્ર સૂરિને પત્તો ન લાગવાથી શોકને વશ થયેલ રાજા, અવન પામનાર દેવની જેમ બહુ જ વિલક્ષ બની ગયે. - પછી એક દિવસે બહાર બગીચામાં જતાં રાજાએ માંજરા સર્વે મારી નાખેલ નેળીઓ જે, જેથી તે આશ્ચર્ય પામ્યો. ત્યાં બરાબર નિરિક્ષણ કરતાં તેના મસ્તકમાં મણિ લેવામાં આવ્યું એટલે પોતે નિર્ભય થઈ રાજાએ તે સપને અરાબર પકડીને તેનું મુખ દબાવી, મણિ લઈને તે પિતાને સ્થાને આવ્યું. ત્યાં વિદ્વાનેાની સમક્ષ તે એક લોકને પૂર્વાર્ધ બેલ્યા - ઘર્ષ શર્વ વિઘા અન્યો છે જેના લીતિ” શસ્ત્ર, શાસ, કૃષિ અને વિદ્યા તથા અન્ય જેના વડે જે જીવી શકે.” ના રાજાની આ સમસ્યા તેમણે પિતપોતાના અભિપ્રાય પ્રમાણે પૂરી, પણ તેમને કઈ વિદ્વાન, રાજાના હૃદયના ભાવને ભેદી ન શકે, ત્યારે તેણે ભારતીપુત્ર બમ્પટ્ટિસૂરિને આદરપૂર્વક યાદ કર્યો. એટલે ભ્રમર જેમ માલતીપુષ્પના પરિમલને સંભારે, તેમ આચાર્યને સંભારતાં તે કહેવા લાગ્યું કે–ચંદ્રની આગળ જેમ ખદ્યોત(ખજુઆ) અને હાથીની આગળ ગર્દભની જેમ વિદ્વાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy