SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIIIIIIIII III I II - શ્રી પ્રદિસરિ ચરિત્ર આચાર્ય તેમની આગળ તે મને અર્થ કહેવા લાગ્યા કે આજે શ્રીસંઘના મહાભાગ્યથી અન્ય વાદીરૂપ હસ્તીઓના કુંભથળ ભેટવામાં સિંહ સમાન કોઈ સહામતિ શિષ્ય આવશે. ' એટલે ભાવિ પ્રભાવને સૂચવનાર વમના આનંદથી ઓતપ્રેત થયેલા તે મુનિએ સાથે આચાર્ય જિનમંદિરમાં ગયા. ત્યાં ત્રણ પ્રદક્ષિણ દઈને જેટલામાં તે ભગવંતને વંદન કરે છે, તેવામાં એક છ વરસને બાળક તેમની આગળ આવીને ઉભો રહ્યો. ત્યારે ગુરૂમહારાજે તેને પૂછયું કે હે વત્સ! તું કેણુ અને કયાંથી આવે છે ? | એટલે તેણે કહ્યું કે પંચાલ દેશના બમ્પ નામના ગ્રહને પુત્ર છું. મારી માતાનું નામ ભદ્ધિ છે. પરાક્રમમાં અવસ્થા કાંઈ કારણરૂપ નથી' એ વાકયને ન જાણતા સૂરપાલ પિતાએ મને શત્રુઓને મારતાં અટકા, તેથી ભારે ખેદ પામતાં માતાને પણ પૂછ્યા વિના હું ચાલી નીકળ્યા અને સ્નેહપૂર્વક આપની પાસે આવ્યો.” એમ કહી પ્રેમથી તે ગુરૂ આગળ બેઠા. ત્યારે “અહો ! આ બાળકનું અસાધારણ તેજ !" એમ ચિંતવતા ગુરૂએ તેને હર્ષથી કહ્યું કે શું તું અમારી પાસે રહીશ?” તે બો –હે પૂજ્ય! તો તે મારું ભાગ્ય ઉઘડયું.' એમ કહીને તે ત્યાં રહ્યો. વિકસિત કમળપર શું ભ્રમર ન બેસે ? હવે તે એકવાર માત્ર સાંભળવાથી એક હજાર અનુષ્ટ્રપલેક બરાબર ધારી શકતું હતું, તે તેની બુદ્ધિની શી વાત કરવી? જડવાદીઓના દુસ્તષ્કથી કલેશ પામેલી સરસ્વતી દેવી પોતે દુર્બોધ શાસના ભેદને બતાવનાર તેની મિત્રતાને ઈચ્છતી હતી. આ તેની અગાધ શક્તિથી સંતુષ્ટ થયેલા ગુરૂએ દુવાંધી ગામમાં જઈને તેને માબાપ પાસે તે બાળકની માંગણી કરી. ત્યારે તેના પિતાએ કહ્યું કે–“હે પ્રભુ! એ તમારી યાચના શા કામની? કારણ કે તેની માતાને એ એકજ પુત્ર છે. વળી એ અમારી આશાને આધાર છે. અમે તેને કેમ મૂકી શકીએ ? તેમ છતાં આપણે જે–વધારે આગ્રડ હોય, અને જે અમારું પ્રખ્યાત અ૫ભદ્રિ એ નામ તે બાળકનું રાખો, તે તે પુત્ર તમને અર્પણ છે.” ત્યારે ગુરૂ મહારાજે એ વાત કબૂલ રાખી. ત્યાં શ્રાવકોએ જન્મ સુધીનું તેને ગુજરાન કરી આપ્યું, કારણ કે મહાપુરૂ પરની આસ્થા નિષ્ફળ જતી નથી, તે પછી વિક્રમ સંવના આઠસે સાત વરસ જતાં વૈશાખ મહિનાની શુકલ તૃતી. યાના મોટા દિવસે મોઢેર તીર્થમાં વિહાર કરીને ગુરૂએ તે બાળકને દીક્ષા આપી અને પિતાની શાખાને અનુસરીને તેમણે ભદ્રકત્તિ એવું તેનું નામ રાખ્યું. તેમજ તેના માતાપિતા પાસે કબૂવ કરેલ પૂર્વનું બમ્પભદિ નામ તો પ્રસિદ્ધજ થયું. સર્વ શિષ્યોમાં શિરોમણિ અને કળાઓના સંકેત સ્થાનરૂપ એવા તે સુનિ. તા શણ અને સંદર્યથી રંજિત થયેલ શ્રીધે તેમને પોતાના ગામમાં રાખવા ITL TTTTTTTTTTT TTTTT T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy