SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ TVર્ટિ (10) શ્રી મહત્તવાહિર વંધ. . gZp5s var ત્રપાત્ર સમાન શ્રીમદ્ભવાદી આચાર્ય દુસ્તર સંસાર-સાગરથકી તમારે વિસ્તાર કરે, કે જેમની વાણું અતિશય સત્વયુક્ત, અક્ષીણુ પક્ષથી વિલસિત, અવક્ર, લક્ષ્યને ભેદ બતાવનાર 75 deg છે જેને મિથ્યાત્વથી મુક્ત કરનાર તથા માંગલિક હતી. જડમતિ મિથ્યાત્વીઓનું જડમૂળ કહાડવા માટે આ અદ્ભુત ચરિત્રની પ્રવૃત્તિ થયેલ છે, તે પ્રમાણના અભ્યાસથી પ્રખ્યાત તેમાંનું કિંચિત્ ચારત્ર કહીએ છીએ. રવિડે આવતા સૂર્યનું ઉન્નત કિલ્લાને લીધે જાણે સંલગ્ન ચક હોય, શકુનીતીર્થરૂપ જાણે તેની નાભિ (ધરી) હોય, મોટા હમ્મરૂપ જાણે તેના આરા ભાસતા હોય, તથા કિલ્લારૂપ નેમિ (ચકાર) થી વિરાજિત અને સ્વસ્તિ (કલ્યાણ) ના સ્થાનરૂપ એવું ભૂગુકચ્છ નામે નગર છે. સુંદર ચારિત્રરૂપ સમુદ્રના શમ, દમાદિરૂપ કલ્લોલમાં કીડા કરવાથી સદા આનંદી તથા જ્ઞાનાદિ લક્ષ્મીવડે અચુત (કૃષ્ણ) સમાન એવા જિનાનંદ નામે આચાર્ય ત્યાં બિરાજમાન હતા. એવામાં એકદા ધનદાનની પ્રાપ્તિથી મસ્ત બનેલ, મનમાં છળ તથા ચતુરંગ સભાની અવજ્ઞાને વહન કરનાર, તથા મદના વિશ્વમથી અજ્ઞાત એવા નંદ નામના કેઈ બદ્ધ મુનિએ, ચૈત્યયાત્રા કરવા આવેલા જિનાનંદ મુનિશ્વરને વિતંડાવાદથી જીતી લીધા એટલે પિતાને પરાભવ થવાથી તે નગરનો ત્યાગ કરીને તે આચાર્ય વલભિપુરમાં ચાલ્યા ગયા, કારણ કે અન્યથી પરાભવ પામેલ સામાન્ય માણસ પણ તે નગરમાં કેણ રહે? - હવે ત્યાં વલભીપુરમાં પિતાની (ગુરૂની) દુર્લભદેવી નામે બહેન હતી, તેણીના ત્રણ પુત્રો હતા. તેમાં જિનયશ બધાથી મેટ બીજે યક્ષ અને ત્રીજો મલ્લ એવા નામથી પ્રખ્યાત હતા. ગુરૂમહારાજે તેમને સંસારની અસારતાનું સ્વરૂપ સમજાવ્યું, તેથી પોતાની માતા સહિત તે બધા પુત્રોએ ગુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી; કારણ કે વહાણ પ્રાપ્ત થતાં સમુદ્રથી કેણ પાર ન ઉતરે? પછી લક્ષણાદિ મહાશાસ્ત્રના અભ્યાસથી તે બધા મોટા પંડિત થઈને પૃથ્વી પર પ્રખ્યાત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy