SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ PLACE સ્થાપક : mr. અપનrl":56 Kan (9) વાઢિ-વંધ. ની સરસ્વતીના શ્રેષ્ઠ પ્રવાહને માટે સાગર સમાન તથા શમ, દમરૂપ - ઉમિ-તરંગયુકત એવા શ્રી વૃદ્ધવાદી મુનીંદ્રને નમસ્કાર હો. : : જગતને ઉદ્ધાર કરનારા એવા શ્રી સિદ્ધસેનસૂરિ તમારૂ END : રક્ષણ કરે છે જે શંકરના હૃદયને ભેદનાર આહંત બ્રહ્મમયે તેજને ધારણ કરનાર હતા. કલિકાળરૂપ પર્વતને ભેદવામાં વા સમાન એવા તે બંને આચાર્યના અનેક આશ્ચર્ય યુક્ત ચરિત્રને હું વર્ણવું છું. જૈન શાસનરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન, સર્વ શ્રતના અનુયોગરૂપ કંદને વિકસિત કરવામાં મેઘ સમાન, તથા વિદ્યાધરના ઉત્તમ આમ્નાય (વંશ) માં વાંછિત આપનાર ચિંતામણી સમાન શ્રી પાદલિપ્ત સૂરિના વંશમાં શ્રી સ્કંદિલાચાર્ય થયા. અસંખ્ય શિષ્યોરૂપ માણિક્યના રેહણાચલ સમાન તે મુનિશ્વરે એકદા ગાડ દેશમાં વિહાર કર્યો. ત્યાં કેશલા ગામમાં નિવાસ કરનાર એક મુકુંદ નામે શ્રેષ્ઠ બ્રાહ્મણ કે જે સત્વમાં સાક્ષાત્ મુકુંદ (કૃષ્ણ) જે હતે. બાહા ભૂમિમાં વિચરતા સૂરિમહારાજની સાથે કઈ પ્રસંગે તે વિપ્રને સમાગમ થયે. કારણ કે સર્વ કાર્યોમાં સર્વની ભવિતવ્યતા તે જાગ્રતજ હોય છે. તેણે ગુરૂ પાસે અતિવેરા સુખકારી ધર્મ સાંભળ્યો. એટલે તે કહેવા લાગ્યો કે –“અનાર્ય દુર્જનેની જેમ અકાર્ય કરાવનાર તથા ભ્રમ ઉપજાવનાર ચિત્રોની જેમ વિષથી હું છેતરાયો છું. માટે હે ગુરૂરાજ ! હે આંતર શત્રુને વંશ કરનાર ! અને હે દયાના નિધાન પલાયન કરવામાં પણ કાયર એવા મને તે વિષયોથી સત્વર બચાવે.” એમ બોલતાં તે વિપ્રને જેનદીક્ષા આપીને ગુરૂ મહારાજે તેના પર પ્રસાદ કર્યો. કારણ કે સુકાર્યમાં ઉતાવળ કરવી જ સારી કહેલ છે. વિલંબ કરવાથી તેમાં અવશ્ય વિદ્ધ આવે છે. પછી એકદા ગુરૂ મહારાજ વિહાર કરતા કરતા લાટ દેશના મંડનરૂપ અને રેવાનદીની સેવાથી પવિત્ર થયેલ એવા ભગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા ત્યાં શ્રુતપાઠના મહાઘષથી આકાશને પ્રતિશબ્દિત કરતા, સાગર તરંગના ઘેર અવા૧૨ TIT TIL || III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy