SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી છવદેવસૂરિ ચરિત્ર. ( 81 ) પછી મેગીના કહ્યા પ્રમાણે શ્રાવકોએ કર્યું. ત્યાં સાધ્વી સાવધાન થઈ અને પોતાના સ્થાન પર આવીને તેણે આલોચના લીધી. એવામાં પિલા ગી ભયભીત થઈ દેશાંતરમાં પલાયન કરી ગયે, કારણકે તેવા તુચ્છ જન શું એવા પ્રભાવી ગુરૂ પાસે આવી શકે ? હવે અહીં અવંતી નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે પૃથ્વીને ત્રાણરહિત કરતાં પોતાનું સંવત્સર ચલાવ્યું. એક વખતે તે રાજાએ લોકોને ત્રાણુરહિત કરવા પોતાના લિંબ નામની અમાત્યને વાયડ નગરમાં મોક . ત્યાં શ્રીવીરપ્રભુનું જીણું મંદિર તેના જેવામાં આવ્યું. એટલે પિતાના વંશની સાથે તેણે તે જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું, અને વિક્રમસંવત્સરના છ વર્ષ વ્યતીત થયા બાદ સાતમે વર્ષે તેણે સુવર્ણકુંભ, દંડ અને ધ્વજાની શ્રેણીયુક્ત ત્યાં શ્રીજીવદેવસૂરિ પાસે ધ્વજ-કુંભની પ્રતિષ્ઠા કરાવી. તેવા સમર્થ આચાયે પ્રતિષ્ઠા કરેલ હોવાથી અદ્યાપિ તે તીર્થ અભંગ છે. હવે મહાસ્થાન નગરમાં વણિકોને વિષે પ્રધાન, દારિદ્રયરૂપ શત્રુને જય કરવામાં મલ સમાન અને કળાઓના નિધાનરૂપ લલ્લ નામે શ્રેષ્ઠી હતો, કે જે મહાશ્રીમંત અને કેટિગમે દ્રવ્યથી તેજસ્વી ગણાતો હતો. તે સૂર્યગ્રહણના દિવસે આનંદપૂર્વક મહાદાન આપતો હતો. વળી હોમનો સમારંભ કરતાં તેણે યજ્ઞદીક્ષીત ઉત્તમ બ્રાહ્મણોને, મંત્ર બોલનારા વિજેને તથા હોમ કરનારા યાજકોને બોલાવ્યા. પછી વેદ વિદ્યામાં વિશારદ એવા તેમને મહાભક્તિથી સત્કાર–પૂજન કરીને પોઢ મંત્રના ગજારવ સાથે હામ શરૂ કરાવ્યા. ત્યાં યજ્ઞકુંડ પાસે રહેલ આંબલીનાં વૃક્ષ પર રહેલ એક સપ ધુમાડાથી આંખે વ્યાકુળ થતાં ફટફટ કરતો તે ત્યાંથી નીચે પડે. એવામાં વાચાલ વિપ્રોમાંથી એક બ્રાહ્મણ કહેવા લાગ્યું કે અહો! આહુતી આપવાને આ ભેગીંદ્ર પોતે અહીં આવ્યો” એમ બોલતાં તેણે તે સપને હોમાગ્નિમાં નાંખી દીધો. એટલે તેને બળતો જોઈને સુજ્ઞ યજમાન, દયાથી શરીરે કંપતા તેમને કહેવા લાગ્યો કે-“અરે! આ તમે શું દુષ્કૃત કર્યું? સાક્ષાત સચેતન દેખાતે જીવતો પંચેન્દ્રિય જીવ એકદમ તમે બળતા અગ્નિમાં નોખી દીધે, એ કે ધર્મ ?" ત્યારે વિપ્ર બે-તે શેઠ! સુમંત્રોથી સંસ્કાર પામેલા અગ્નિમાં એ પુણ્યવાન સર્પ પડે, તેથી કોઈ પ્રકારને દોષ નથી કારણકે આ અગ્નિમાં મહાપાપી હિંસક છે પણ મરણ પામીને મનુષ્યો સહિત તે અવશ્ય દેવપણાને પામે છે. તેથી આ બટુક બ્રાહ્મણે તે ઉલટો ઉપકાર કર્યો. માટે તે શેઠ! તમારે લેશ પણ સંતાપ કરવો ઉચિત નથી. જો તું દયાળુ અને આસ્તિક હોય, તો પ્રાયશ્ચિત્તા, કર અને તેથી બમણું સુવર્ણ સર્પ કરાવીને બ્રાહ્મણોને દાનમાં આપી. ' P.P.As. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy