SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (58 ) ( શ્રી પ્રભાવક ચરિત્ર. તે પછી તિષીઓએ પોતપોતાની બુદ્ધિના અનુસારે મુહૂર્ત કહાડયું એટલે શ્રાવકો તથા મહેદ્ર સહિત આચાર્ય સભામાં આવ્યા. તે વખતે શત્રજી વિગેરેથી આચ્છાદિત થયેલા અને આશ્ચર્યકારી એવા સિંહાસન ઉપર યાજ્ઞિક દીક્ષિત, વેદપાધ્યાય, હામ કરનારા, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારા,યજમાને સમાન ગેર, કે જેઓ ગંગાની માટીના તિલક તથા ચંદનના લેપથી પવિત્ર બનેલા ઉપવીત (જનોઈ) થી અલંકૃત તથા રંગેલા અને ધોયેલ ધોતી પહેરીને બેઠેલા તે મહેંદ્ર મહર્ષિના જોવામાં આવ્યા. એટલે મુનિ બોલ્યા- હે રાજન ! આ કામ અમને અપૂર્વ લાગે છે. પ્રથમ પૂર્વાભિમુખ બેઠેલાને નમસ્કાર કરીએ કે પશ્ચિમભિમુખ બેઠેલાને નમીએ ?" એમ બોલતાં તેમણે સામે બેઠેલાની પાછળ ફરી પિતાના હાથવતી કણેરની સોટી તેમની પીઠ પર ફેરવી. એવામાં તે બધા નિચેષ્ટ અને મૃતતુલ્ય બનીને જમીન આળોટવા લાગ્યા. તે જોતાં પ્રભાતના ચંદ્રમાની જેમ રાજાનું મુખ શ્યામ થઈ ગયું, અને તેમના દયાપાત્ર સંબંધીઓ બધા આવી નામ લઈને તેમને બોલાવવા લાગ્યા, પણ અચેતન (બેભાન) હોય તે કેમ બોલે ? ત્યાં સ્વજનો બધા આકંદ કરવા લાગ્યા કે “અરે આપણું દુષ્કર્મ આજે ફર્યું.” વળી કેટલાક એમ કહેવા કે “અહો ! જેનષિઓને નમસ્કાર તે આ પૂર્વે કયાં જોયેલ કે સાંભળેલ પણ નથી. આ તો રાજારૂપે દર્શનોનો કાળ નીવડયે, પુસ્તકે કે પુરાણે માં આવી કથા પણ કયાં સાંભળવામાં આવી નથી.’ આથી પશ્ચાત્તાપ પામેલ રાજા સિંહાસન પરથી ઉઠી, ધીર પુરૂષોમાં ધુરંધર એવા મહેંદ્ર ષિના પગે ઢળી પડયો અને કહેવા લાગ્યું કે-હે મહા વિદ્યાશાળી ! અમારું રક્ષણ કરો અને મારા પર પ્રસાદ લાવીને મારો આ એક અપરાધ ક્ષમા કરે કારણ કે સંત પુરૂ વિનાત વત્સલ હોય છે. જેમના સંબંધી અને સ્ત્રીઓ રૂદન કરી રહી છે એવા આ બ્રાહ્મણને જીવાડો. સુજ્ઞ છતાં તમારા માહાત્મ્યને પાર કેણ પામી શકે ?' . એ પ્રમાણે સાંભળતાં યતીંદ્ર મહેંદ્રમુનિ બોલ્યા–પિતાની શક્તિને ન જાણનાર હે ધરાધીશ ! આ તને મિથ્યા કદાગ્રહ કેવો લાગ્યો? જો કે આનંદ અને જ્ઞાન સ્વરૂપ જિનેશ્વરે મેક્ષપદને પામ્યા છે, તથાપિ અહો ! તેમના અધિષ્ઠાયકો સદા જાગ્રત હોય છે. એક સામાન્ય પણ કયો પુરૂષ આવી વિડંબનાને સહન કરે ? કે મહાવ્રતધારી મુનિઓ ગૃહસ્થ બ્રાહ્મણને પ્રણામ કરે? તારા અન્યાયથી કોપાયમાન થયેલા દેવતાઓએ આ બ્રાહ્મણોને શિક્ષા કરી છે તેમાં મેં કંઈપણ પ્રકોપ કરેલ નથી, કારણ કે મારા જેવાનું તો શમ-ક્ષમા એજ ભૂષણ છે.” - ત્યારે રાજાએ પુન: વધારે આગ્રહથી કહ્યું કે-“હે ભગવન્ ! તમેંજ મારા દેવ, ગુરૂ, પિતા, તાતા અને શરણરૂપ છે વિશેષ કહેવાથી શું? હે જીના જીવન રૂપ ! અમને જીવાડવાની કરૂણા કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy