SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ( 10 ) શ્રી પ્રભાવક ચરિત્ર ર્ષાયું, એટલે સૂર્યની જેમ બાળ સૂરિના ચરણે નમસ્કાર કરવાની તેની ઈચ્છા થઈ. પછી તે તરત ગુરૂ મહારાજના ઉપાશ્રયે આવ્યા. કારણ કે બાળકના પણ સત્ય ગુણથી કયે સુજ્ઞ ન આકર્ષાય? ત્યાં એકાંતમાં આચાર્ય પાસે બેઠેલ રાજાએ પ્રશ્ન કર્યો કે “હે ભગવન્! અમારા સેવકો તો પગારના પ્રમાણમાં પોતાનું કર્તવ્ય બજાવે છે, તે વેતન વિના આ આપના શિષ્યો, માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા એવા આપનું કર્તવ્ય બજાવવાને શી રીતે તત્પર રહે છે ? " ત્યારે ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે–“હે રાજન ! કંઈપણ આપ્યા વિના માત્ર ઉભયલેકના હિતની ઈચ્છાને લીધે એ શિખે અમારાં કાર્યો બજાવવાને સદા તત્પર રહે છે.” એટલે રાજા બોલ્ય—એ વચન મારા માનવામાં આવી શકતું નથી. કારણ કે દગ્ધ અરણ્યને જેમ મૃગલાંઓ તજી દે છે, તેમ નિર્ધન માણસ લેકમાં ત્યાજ્ય ગણાય છે, આથી એમ સમજાય છે, કે લોકોની સ્થિતિ દ્રવ્યના સ્વાદમાં સમાયેલી છે.” એમ સાંભળતાં આચાર્ય બોલ્યા–“હે નરેંદ્ર! મોટા પગારદાર તારા નોકરે જેવું કામ નથી કરતા, તેવું કામ દાન વિના મારા શિષ્યો બજાવે છે. હે ભૂપ! આ બાબતમાં તારે ખાત્રી કરવી હોય, તો કેતુકથી જે . દક્ષ, પવિત્ર, ગુણી, સદા પ્રતિષ્ઠા પમાડેલ, તાંબલ આભરણ અને વસ્ત્રાદિના દાનથી સંતુષ્ટ કરેલ સદા પોતાની સમાન જોયેલ, પૂર્ણ વિશ્વાસના સ્થાનરૂપ અને જાણે પોતાની અપર મૂર્તિ હોય તેવા એક કેઈ શ્રેષ્ઠ પ્રધાન સેવક પુરૂષને બોલાવે કે જેથી મારા વચનની તને પ્રતીતિ થાય.” એટલે રાજાએ પૂર્વોક્ત ગુણયુકત એક પ્રધાનને ત્યાં બોલાવતાં તે આવે અને શિરપર અંજલિ જોડીને કહેવા લાગ્યો કે –“હે સ્વામિ આદેશ ફરમાવીને મારાપર પ્રસાદ કરે. ભારે દુષ્કર કામ પણ હિમ્મતથી બજાવનાર એવા આ મુદ્ર કિંકરને શી આજ્ઞા છે?” ત્યારે રાજાએ કહ્યું—“હે સખે ! ગંગા કઈ દિશાએ મુખ કરીને વહે છે?” એમ રાજાનું વચન સાંભળતાં મનમાં હસીને તે પહાસ ચિંતવવા લાગ્ય–અહો! બાલષિના સંસર્ગથી રાજાને બાલપણું આવ્યું લાગે છે” કે જેથી ગંગા કઈ તરફ મૂખ રાખીને વહે છે એમ બેલે છે. એ વચન તે બાળકો અને સ્ત્રીઓના પણ જાણવામાં હશે.”એમ ધારી “આપને આદેશ પ્રમાણે છે.” એમ કહીને તે બહાર નીકળી ગયા. જતાં જતાં તેણે વિચાર કર્યો કે –“રાજા તો પિતાના ઐશ્વર્યથી ઘેલો થયો છે, પણ હું કંઈ તેવો નથી. તે આવા નકામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy