SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ( 34) શ્રી પ્રભાવક ચરિત્ર. બિંદુઓનો સ્પર્શ ન થવાથી તત્કાળ તે પુછ રહિત થઈ ગયો, ત્યારે તેના નેહથી મોહિત થયેલ તે જ્યાં ત્યાં છીંક વિગેરેમાં સ્કૂલના પામતાં કહેવા લાગી કે “બંડ જીવતો રહે.” પછી નાગરૂપ તેના બાંધવોએ બધાને રેશમી વસ્ત્રો, સુવર્ણ, રત્ન અને મકિતકના અભુત અલંકારો આપ્યા, એમ તે પર્વ સમાપ્ત થતાં તે બધા નાગકુમારો પોતાના સ્થાને ચાલ્યા ગયા. એ પ્રભાવથી વૈરોઘા પોતાના ઘરમાં ભારે માનનીય થઈ પડી. એકદા અલિંજર નાગરાજે પોતાના પુત્રને જોતાં તેમાં ખંડિત અવયવવાળા તે બંડને જોયે, તેથી તેને ગુસ્સો આવ્ય, તેનું કારણ અવધિજ્ઞાનથી જાણીને તે વૈદ્યાના ઘરે આવ્યો અને પોતાના નંદનને દ્રોહ કરનાર એવી વેરઘાને તેણે દેશ દેવાનો વિચાર કર્યો. પતિને એ વિચાર જાણવામાં આવતાં, તેણીનું રક્ષણ કરવામાં તત્પર એવી નાગકાંતાએ ત્યાં આવીને કહ્યું કે-વૈદ્યા તો ભકતાત્મા છે.’ પિતાની પત્નીની એ વાણું સાંભળતાં નાગરાજ કંઈક શાંત થયો, પણ તેની પરીક્ષા કરવાને તે ઘરની અંદર બારણાના કમાડની પાછળ છુપાઈ રહ્યો. એવામાં સાંજે અંધકાર હોવાથી આગળ રહેલ દરવાજાને ન જેવાથી ઉતાવળે જતી વેરાવાને પગે વાગવાથી ભારે પીડા થઈ. એટલે– બંડ ચિરંકાળ જીવતો રહે " એમ બાલવાથી તેણે નાગરાજને તરત સંતુષ્ટ કર્યો. એમ સંતુષ્ટ થવાથી તેણે વૈદ્યાને બે નૂ પુર આપ્યા અને પાતાળગૃહમાં જવા આવવાની અનુજ્ઞા આપી, જેથી નાગકુમારો પણ ગમે ત્યારે તેના ઘરે આવવા લાગ્યા અને તેથી ઘરના બાળકો અને સ્ત્રીઓને ભય પામવાનું એક કારણ થઈ પડયું. આથી તેનું ઘર દુર્ગમ અને નાગ મંદિર એવા નામથી પ્રખ્યાત થયું. એટલે પદ્મદત્તે એ બધી હકીકત ગુરૂ મહારાજને નિવેદન કરી, ત્યારે ગુરૂ બોલ્યા કેતારી પુત્રવધુના મુખથી નાગકુમારોને એમ કહેવરાવ કે—કના અનુગ્રહની ખાતર તમારે અમારા ઘરે વાસ ન કરે અને કદાચ વાસ કરો, તો કેઈને ડંખવું નહિ. એમ મારી આજ્ઞા પ્રમાણે તારે કરવું.” પછી પદ્મદત્ત સાર્થવાહોદ્યાને કહ્યું કે તું નાગમંદિરમાં જા અને નાગકુમારેને અહીં આવવાનો નિષેધ કર. કારણકે મારી આજ્ઞા તારે માન્ય રાખવી જોઈએ.” એટલે વૈદ્યા પાતાલમાં જઈને નાગકુમારને કહેવા લાગી કે–ગુરૂ મહારાજની આજ્ઞાથી તમારે મારા ઘરે ન આવવું.” એમ તેણે બધા નાગપુત્ર તથા અલિંજર નાગેન્દ્રને કહી સંભળાવ્યું, આ તેનું વચન તેમણે માન્ય રાખ્યું. વળી વિશેષમાં તેણે જણાવ્યું કે–“જેણે અનાથ એવી મને સનાથ કરી અને મારા ચરણને નપુરસહિત કર્યા, તે નાગેન્દ્ર મારા પિતા તુલ્ય છે.” ત્યારે નાગપતિએ તેને સુધા સમાન આશિષ આપતાં જણાવ્યું કે–“દેવા H TTIIIIIII IT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy