SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આર્ય રક્ષિતસૂરિ ચરિત્ર. સ્થાને ચાલે ત્યારે સાધુઓ આવે ત્યાં સુધીમાં કંઈક ચમત્કાર બતાવવા ઈદ્દે કહ્યું, એટલે રૂપ, અદ્ધિના દર્શનથી નિદાન કરવાના ભયને લીધે સાધુએ તેને નિષેધ કર્યો, તથાપિ કંઈક ચિન્હરૂપે કરી બતાવ; એમ આચાર્યના કહેવાથી તેણે વસતિનું દ્વાર વિપરીત કરી દીધું પછી સ્વર્ગે ગયે. - - * એવામાં મુનિઓ આવ્યાં અને તેમને દ્વાર ન જડયું, ત્યારે ગુરૂએ તેમને દ્વાર બતાવ્યું, એટલે વિપરીત માર્ગથી આવતાં સાધુઓ બધા આશ્ચર્ય પામ્યા. ત્યાં સંભ્રમથી કંઈ કંઈ બોલવા લાગ્યા. ત્યારે ગુરૂએ તેમને ઇંદ્રનું યથાસ્થિત સ્વરૂપ નિવેદન કરીને નિઃશંક કર્યા. એટલે દેવેંદ્રનું દર્શન ન થવાથી કંઈક ખેદ પામતા હોય તેમ તે કહેવા લાગ્યા–મંદ ભાગ્યવંત પુરૂષે ઈદ્રના દર્શન શી રીતે કરી શકે? .. પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં નાસ્તિકવાદી મથુરામાં આવ્યો તેને ગોષ્ઠામાહિલ મુનિએ-- જીતી લીધો. એટલે શ્રી સંઘ તેમને ત્યાંજ ચોમાસું કરાવ્યું. તેવા વાદલબ્ધિવાળા મુનિને કણ ન રેકે?. . . - હવે આર્યરક્ષિત મહારાજે પિતાના પદે કેણગ્ય છે? તેને વિચાર "કર્યો, ત્યારે દુર્બલ પુષ્પમિત્ર પર તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના * સંબંધી હતા તેમણે ફશુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો, અને ગચ્છના આધિપત્યમાં ગોષામાહિલને મેહથી સ્થાપવાનો સંકલ્પ કર્યો. ' પછી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરૂમહારાજે તે અલગ અલગ અડદ, તેલ અને ઘીથી ભર્યા અને પછી ખાલી કર્યા. એટલે અડદ બધા બહાર નીકળી આવ્યા. તેલ કંઈક રહી જવા પામ્યું અને ધૃત તો બહુ સલગ્ન રહ્યું. પછી ગુરૂમહારાજે કહ્યું કે આ ઉદાહરણ જુઓ, દુર્બળ મુનિમાં હું અડદના કુંભની જેમ નિર્લેપ છું, બંધુ આર્યરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું અને માતલપર ધૃતકુંભની જેમ વધારે લિસ છું. માટે મારા પદપર દુબળ પુષ્પમિત્ર જ ચગ્ય છે; એટલે તેમનું વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરૂએ સૂરિ મંત્રપૂર્વક પિતાના પદપર દુર્બળ મુનિને સ્થાપન કર્યા અને નવીન દુર્બળ સૂરિને તેમણે આદેશ કર્યો કે-“મારા માતુલ, બ્રાતા અને પિતા પ્રત્યે તમારે મારી જેમ વર્તવું; તે વખતે ગચ્છના અન્ય મુનિઓ પિતા, ભ્રાતા અને સાધ્વીઓને તેમણે મધુર વચનથી શિખામણ આપી; અને જણાવ્યું કે “આ યતિ પ્રત્યે તમારે મારી જેમ વર્તવું, મારા કરતાં પણ એને અધિક વિનય સાચવો. કેઈવાર વતાચાર વિસ્મૃત થતાં ક્રિયાચાર ન થાય, તે બધું મેં સહન કર્યું છે. વળી એ નવીન હોવાથી કંઈ ન થતાં ખેદ પામશે, માટે તમારે સદા તત્પર રહીને એના મુખમાંથી વચન બહાર પડતાં સ્વીકારી લેવું, તથા મરણ પર્યત એના ચરણની સેવા તમારે મૂકવી નહિં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy