SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવકચરિત્ર. ચન્દ્રને પાણ્ડવોને સંબંધમાં પૂછ્યું. જેને ઉત્તર આચાર્યો આપો કે અમારા શાસ્ત્રોમાં પાડવોએ શત્રુંજય ઉપર દેહ છોડયાને લેખ છે, જ્યારે મહાભારતમાં તેમના હિમાલય ગમનનું પણ વિધાન છે. પણ એ નિશ્ચિત નથી કે જૈન શાસ્ત્રમાંના અને મહાભારતમાં વર્ણ વેલા પાલ્ડ એકજ છે યા ભિન્નભિન્ન? રાજાએ પૂછયું-શું પાડે પાંચથી વધારે થયા ? આચાયે કહ્યું:-હા, આ વાત મહાભારત ઉપરથી જ સિદ્ધ થાય છે. ભીષ્મપિતામહનો પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવા માટે જ્યારે તેમને પરિવાર શબને એક દુર્ગમ ટેકરી ઉપર લઈ ગયો અને અગ્નિદહનની તૈયારી કરવા માંડી તે વખતે જે આકાશથી દિવ્યવાણુ થઈ હતી તેની નેધ મહાભારતમાં નીચે પ્રમાણે છે. " अत्र भीष्मशतं दग्धं, पाण्डवानां शतत्रयम् / द्रोणाचार्य सहस्रं तु कर्णसंख्या न विद्यते // " અર્થાત– આ સ્થલે સે ભીષ્મ, ત્રણ પાઠવ, હજાર દ્રોણાચાર્ય અને અસંખ્યાત કર્ણોને અગ્નિસંસ્કાર થયો છે.” આમ જ્યારે એક ટેકરી ઉપર જ ત્રણસે પાણ્ડને દાહ સંસ્કાર થયો છે તો બીજા પણ કેટલા પાડ થયા હોવા જોઈએ ? અને આટલા બધા પાર્ડમાંથી પાંચ પાડે જૈન થયા હોય અને શત્રુંજય ઉપર નિર્વાણ પ્રાપ્ત થયા હોય તો આશ્ચર્ય શું અને કેદાર મહાતીર્થમાં પણ પાવ ભૂતિયા વિદ્યમાન છે. હેમચન્દ્રના આ અવસરોચિત ઉત્તરથી રાજાનું મન સંતુષ્ટ થયું અને બ્રાહ્મણ નિરૂત્તર થયા. એકવાર રાજપુરોહિતે જૈન સાધુઓની વ્યાખ્યાન સભામાં સ્ત્રીઓ આવે છે તે બાબતમાં ટીકા કરી. જેને હેમચન્દ્ર “સિહાબલી હરિણુ શુકર માંસજી” આ લેકઠારા એવો મુંહતોડ ઉત્તર આપ્યો કે આલિંગ પુરોહિત પાછો બોલવા જ ન પામે. એક વખત પાટણમાં “દેવબોધ' નામને ભાગવત મતને આચાર્ય આવ્યો, રાજાની ઇચ્છા તેની મુલાકાત કરવાની થઈ તેથી તેને રાજસભામાં આવવા આમત્રણ કર્યું; પણ નિઃસ્પૃહતાને ડોળ કરી તેણે સભામાં આવવા ના પાડી. તેણે કહ્યું - અમે કાશિ નરેશ અને કાન્યકુજાધિપતિને જોઈ લીધા છે, તે ચેડા દેશના ધણ ગૂજરાતના રાજાની શી ગણતરી છે?” રાજાને આવા આડંબરી વિદ્વાનને મળવાની વધારે ઉત્કષ્ઠા થઈ અને પિતાના મિત્ર કવિરાજ શ્રીપાલને સાથે લઇને તે દેવબંધની મુલાકાતે તેના મુકામ પર ગયો, [અને નમસ્કાર કરીને રાજા જમીન ઉપર બેસી ગયો. તે પછી દેવબોધે શ્રીપાલ તરફ સંકેત કરીને કહ્યું “સભા પ્રવેશને અયોગ્ય આ કોણ છે ?', રાજાએ કહ્યું–આ તે કવિરાજ ‘શ્રીપાલ છે, એણે દુર્લભ સરોવરની પ્રશસ્તિ, રૂદ્રમહાલયની પ્રશસ્તિ, વૈરોચન પરાજય આદિ કાવ્ય પ્રબન્ધાની ઉત્તમ રચના કરીને “કવિરાજ’ એ પદવી યથાર્થ કરી છે. આ ઉપર મશ્કરીમાં દેવબોધે કહ્યું - શુક્ર એક આંખે વિકલ છતાં કવિ કહેવાણો તે બંને આંખે હિીન આ પણ " કવિરાજ' કહેવાય તે યુક્તિયુકત જ છે. આવા ઉપહાસ્યથી શ્રીપાલનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy