SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 0 , પાર્શ્વનાથને પૂર્વભવ.. ધનવાળે અને ધન મેળવવામાં આસક્ત છું, તેથી પ્રભાતે અહીં ટકાને બેસીને દરરોજ પામર જનનાં મુખ અવલેકું છું, માટે મારા * જીવતરને ધિક્કાર છે.”એ રીતે શુભ દયાનરૂપ જળથી તે પિતાના પાપમળને સાફ કરતો હતો, અને તેની અનુમોદનારૂપ ઉદકથી પિતાના પુણ્યબીજનું સિંચન કરતા હતા, તેથી તેણે સ્વર્ગીય બાંધ્યું; અને નંદક જિનપૂજા કરતાં આ પ્રમાણે વિચારતું હતું કે મારા દેવપૂજાના વખતમાં ભદ્રક દુકાને બેસી બહુ ધન ઉપાર્જન કરે છે, પણ હું શું કરું ? મેં પ્રથમ અભિગ્રહ લીધો છે તેથી મારે દેવપૂજા કરવા આવવું પડે છે. આ દેવપૂજાનું શુભ ફળ મળવું તે તે દૂર છે, બાકી વ્યાપારની હાનિરૂપ ફળ તો સદ્ય જ મળે છે. આવા કુવિકલ્પથી દેવપૂજા કરતાં છતાં તે પોતાનું પુણ્યધન હારી ગયે. તેણે વ્યંતરજાતિના દેવનું આયુ બાંધ્યું. ભદ્રક જિનપૂજાના અનુમેદનથી સધર્મ દેવલોકમાં દેવપણું પાપે અને નંદક કુવિકલ્પથી વ્યંતર દેવ થયા.” માટે કુવિકલ્પથી જિનપૂજા ન કરવી, પણ શુભ ભાવથી જિનાર્ચનન્કરવું. હવે કુવિકલ્પથી આપેલ દાનનું ફળ સાંભળ - “ઉજ્જયિનીમાં ધન્ય નામને વણિકપુત્ર વ્યાપારને માટે પિતાની દુકાને બેઠે હતો. એવામાં કઈ અણગાર માસખમણને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. કારણકે-મુનિને પ્રથમ પિરસીએ સજજાય, બીજીએ ધ્યાન, ત્રીજીએ ગોચરી અને એથીએ પુનઃ સજા કરવા નું કહેવું છે. ધન્યવણિક ભિક્ષાને માટે ફરતા મુનિને જોઈને ભાવથી તેમને બોલાવી તેમના પાત્રમાં અખંડધારાએ વ્રત વહોરાવતાં તેણે ઉચ ગતિ ઉપાર્જન કરી અને વધતા જતા તેના પુણ્યને વિઘાતન થવા માટે મુનિએ તેને અટકાવ્યું નહિ. એવામાં તે દાતાના મનમાં આવ્યું કિ–“અહો ! આ એકાકી મનિ આટલા બધા વૃતને શું કરશે ? કે જેથી તેઓ ઘત લેતાં વિરમતા નથી.” એ વખતે તેણે દેવલોકનું આયુ બાંધ્યું હતું, એટલે જ્ઞાની મુનિએ તેને કહ્યું કે:-“હે મુગ્ધ ! તુ ઉચગતિ બાંધતે નીચે ન પડ.” તે બે કે આવું અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy