SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર મુનિની કથા.. 37 અને બહુશ્રુત થયા હતા, તેમણે ભગવંતને પ્રણામ કરીને પૂછ્યું કે“હે ભગવન્! અમને આ ભવમાં સિદ્ધિ પ્રાપ્ત થશે કે નહિ?” પ્રભુ બેલ્યા કે “તમે ચરમશરીરી હોવાથી આ ભવમાં જ સિદ્ધ થશો.’ એટલે તેમણે ચિંતવ્યું કે:-“જે આ ભવમાં આપણે સિદ્ધ થવાના છીએ તે વૃથા દેહકષ્ટ શા માટે સહન કરવું? સ્વેચ્છાએ ભજન, પાન અને શયન કરવું. બૌદ્ધ દર્શનમાં પણ કહ્યું છે કે-“મનેશ ભેજન, મજ્ઞ શયન અને મનેજ્ઞ ભવનમાં રહેતા સતા મનેણ વ્રત ધારણ કરવું. પ્રભાતે દૂધ અને મદ્યપાન કરવું, બપોરે સ્વાદિષ્ટ ભોજન કરવું, સાંજે મધ અને શર્કરા પીવી, રાત્રે દ્રાક્ષ ખાવીએમ સુખોપભેગ કરતાં પ્રાંતે મોક્ષ મળે છે. માટે આપણે પણ તે પ્રમાણે જ દિવસે ગાળીએ, વૃથા કષ્ટ કરવાથી શું?” આ નિર્ણય કરી તે સાધુઓ ચારિત્ર તજી દઈ અન્યત્ર જઈને તે પ્રમાણે સમય ગાળવા લાગ્યા. અન્યદા તેમની આસન્નસિદ્ધિ હોવાને લીધે કેટલાક કાળ પછી તેમના મનમાં પાછે વિચાર ઉત્પન્ન થયે કે:-“અહેત્રણ લેકના આધાર, અને જગતના ગુરૂ શ્રી પાર્શ્વનાથને પામીને આપણે ઉલટે આપણું આત્માને શિથિળ . સચ્ચારિત્રરૂપ જળમાં સ્નાન કરીને આપણે કુમતિસંસર્ગરૂપ રજમાં આપણા આત્માને આળટાવ્યું. આમ કરવાથી પ્રમાદવશે આપણું શી ગતિ થશે? અત્યારે આપણને પાર્શ્વનાથ પરમાત્મા સિવાય અન્ય શરણ નથી.” વળી તે પુનઃ ચિંતવવા લાગ્યા કે-“હે ભગવન્! આપજ અમારા શરણ છે, માટે કૃપા કરીને અમને આલંબન આપે.” એમ ચિંતવતાં તે ચારે ક્ષપકશ્રેણિએ ચડ્યા અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માના સ્થાનના પ્રભાવથી કેવળજ્ઞાન પામીને સિદ્ધ થયા. અહો ! શુભ ધ્યાનને કે ઉત્કૃષ્ટ પ્રભાવ છે તે જુઓ. વળી ભગવંત આ રીતે એકાંત પરે પકારી હતા. ઇતિ ચાર મુનિ કથા. નાગપુરીમાં ધનપતિ નામને ધનિક વ્યવહારી રહેતે હતે. તેને બંધુદત્ત નામે પુત્ર હતો. તેને તેના પિતાએ વસુનંદની સુતા ચંદ્રલેખા સાથે પરણાવ્યું. એવામાં તેના હાથમાં હજી કંકણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy