SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ annmannnnnnnnnnn અતિચાર વર્ણન - 283 - હવે અનર્થદંડ વિરમણ નામે ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચાર કહે છે:–૧ કંદર્પકારી વચન બોલવું, 2 ભાંડની જેમ કુચેષ્ટા કરી લેકેને હાસ્ય ઉપજાવવું, 3 અસંબદ્ધ વચન બોલવું, 4 અધિકરણ તૈયાર રાખવાં અને 5 ભેગે પગ વસ્તુમાં તીવ્રાભિલાષ ધરવો અથવા ભેગાતિરક્ત વસ્તુઓ તૈયાર રાખવી તે. ન હવે ચાર શિક્ષાવ્રત કહે છે. તેમાં પ્રથમ સામાયિક વ્રત–તેના પાંચ અતિચાર છે. 1 મનથી આધ્યાન અને રૈદ્રધ્યાન ચિંતવે, 2 વચનથી સાવધ બેલે, 3 કાયાથી સાવધ કરે એટલે અપ્રમાર્જિત ભૂમિપર બેસે, 4 અનુપસ્થાપના-અનવસ્થિતપણું અને 5 ચળચિત્તથી સામાયિક કરે અથવા સામાયિકમાં વિકથા કરે. . બીજા દેશાવકાશિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. 1 આનયન, 2 પ્રેષણ, 3 શબ્દ કરે, 4 રૂપ દર્શાવે અને 5 કાંકરી નાખે. છઠ્ઠા અને દશમા વ્રતમાં એટલે ભેદ છે કે છઠું વ્રત યાજજીવિત હોય છે અને દશમું વ્રત તે તે દિવસના પ્રમાણુંવાળું હોય છે. હવે ત્રીજું પૈષધોપવાસ શિક્ષાવ્રત–તેના પણ પાંચ અતિચાર છે. 1 અપ્રતિલેખિત યા દુ:પ્રતિલેખિત શયા સંથારો કરે, 2 અપ્રમાજિત યા દુ:પ્રમાર્જિત ભૂમિ પર બેસે અથવા સંથારો કરે, 3 અપ્રતિલેખિત યા દુ:પ્રતિલેખિત ભૂમિ પર લઘુનીતિ વડીનીતિ પરઠ, 4 શુદ્ધ મનથી પૈષધ ન પાળે અને 5 નિદ્રા તથા વિકથાદિ કરે. ચેથા અતિથિસંવિભાગ-શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. ૧ન દેવાની બુદ્ધિથી શુદ્ધ આહારાદિકને અશુદ્ધ કરે, 2 દેવાની બુદ્ધિથી અશુદ્ધ આહારાદિકને શુદ્ધ કરે, 3 અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુથી ઢાંકી રાખે, 4 સાધુ ઘરે આવતાં વિલંબથી દાન આપે અને 5 મત્સરપૂર્વક દાન આપે. છેઆ પ્રમાણે શ્રાવકે સમ્યકત્વમૂળ બાર વ્રત આણંદ અને કામદેવ શ્રાવકની જેમ પાળવાના છે. તે પણ સિદ્ધિદાયક થાય છે, કારણકે:-“સમ્યકત્વરૂપ ઉદાર તેજયુક્ત, નવા નવા ફળદ-આવર્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy