SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ * મદનરેખાની કથા. પ્રભાને જીતનાર, રત્નોથી નિર્મિત, ઘુઘુરીઓના અવાજથી શદાયમાન, જેમાં વાજીત્રાને નાદ ઉછળી રહ્યા છે એવું અને દેવતાઓ જેમાં જયજયારવ કરી રહ્યા છે એવું એક વિમાન ત્યાં આવ્યું. તેમાંથી તેજના પ્રસરથી દેદીપ્યમાન, પ્રવર ભૂષણથી વિભૂષિત અને દેવતાઓ જેના ગુણ ગાઈ રહ્યા છે એ એક દેવ નીકળે. તે દેવ પ્રથમ મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેને પગે લાગીને પછી મુનિને નમસ્કાર કરીને તેમની પાસે બેઠે. એટલે તે દેવકૃત અસંબદ્ધ ક્રિયા જોઈને મણિપ્રભ વિદ્યાધર બે કે –“અહો! દેવ પણ આવી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે, તે પછી બીજા કેને કહેવું? ચાર જ્ઞાનના ધરનાર અને રમ્ય ચારિત્રથી વિભૂષિત એવા આ મુનીશ્વરને મૂકીને તમે એક સ્ત્રીમાત્રને પ્રથમ પ્રણામ કર્યા તે ચગ્ય કર્યું નથી.” આ પ્રમાણે સાંભળીને તે દેવ કંઈક બોલવા જતું હતું, એવામાં મુનિ બેલ્યા કે –“હે મણિપ્રભ! એમ ન બોલ. આ દેવ ઉપાલંભ એગ્ય નથી, કારણ કે મણિરથ રાજાએ મદનરેખાપર આસક્ત થઈને પિતાના યુગબાહુ ભ્રાતાને ઘાત કર્યો, તે વખતે પતિના મરણ સમયે મદનરેખાએ પિતાના ભર યુગબાહને નિપુણ અને કોમળ વાળેથી જિનધર્મ સંભળાવ્યું. તે ધર્મના પ્રભાવથી યુગબાહ પાંચમા દેવલેકમાં ઇદ્રનો સામાનિક દેવ થયે. તે આ છે, અને તેની આ મદનરેખા ધર્મગુરૂ છે. તેથી આ દેવે એને પ્રથમ વંદન કર્યું છે. કારણ કે:-“જે કઈ યતિ કે ગૃહસ્થ–જેને ધર્મમાં જેડે, તેજ સદ્ધર્મદાનથી તેને ધર્મગુરૂ ગણાય છે. તેમજ વળી:–“સમ્યત્વ આપનારે સનાતન શિવસુખ આપ્યું-એમજ સમજવું. એ દાનના ઉપકાર સમાન અન્ય કેઈ ઉપકાર નથી. ઇત્યાદિ મુનીશ્વરના કથનથી જિનધમનું અદ્ભુત સામર્થ્ય મનમાં ભાવતાં મણિપ્રભ વિદ્યાધરે તે દેવને ખમા . તે વખતે તે દેવે મદનરેખાને કહ્યું કે –“હે ભદ્ર! કહે, હિં તારું શું અભીષ્ટ કરું?” તે બોલી કે –“હે દેવ! જેને, જરા, મરણ, રોગ અને શોકાદિકથી વર્જિત એવું મેક્ષસુખ મને 1 ઈંદ્રની સમાન ઋદ્ધિવાળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy