SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ . . વસંતકનું ષ્ટાંત . પ્રાણીઓને અભયદાન આપનાર પુરૂષ મળવા દુર્લભ છે.’ પોતાના જીવિતવ્યને માટે અભયપણું મળવાથી એક દીનમાં દીન પુરૂષ પણ હર્ષથી પોતાના આત્માને ત્રણ લેકનો સ્વામી માને છે. આ સંબંધમાં વસંતકનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે - ' . શ્રી વસંતપુરમાં મહાબળવાન, તેજસ્વી અને પ્રતાપી એવો મેઘવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંકરા નામે પટરાણી હતી, તેને બીજી પણ પાંચસો રાણીઓ હતી. તે રાણુઓ સાથે વિષયસુખ ભોગવતાં અને રાજ્યસુખનો અનુભવ કરતાં તે રાજા સુખે કાળ નિર્ગમન કરતા હતા અને લોકો પણ હર્ષિત થઈ સુખે રહેતા હતા, તથા દાનપુણ્યાદિક કરતા હતા. એકદા રાત્રે સીપાઈઓએ ચેરીના માલ સહિત કેઈ ચેરને જે, એટલે તેને બાંધીને બીજે દિવસે તેઓ રાજસભામાં બેઠેલા રાજની આગળ લઈ આવ્યા. રાજાએ તે ચેરને જોઈને પ્રસન્ન વાણીથી તેનું બંધન શિથિલ કરાવીને વિસ્મયપૂર્વક પૂછયું કે –“અરે! બોલ, તારે દેશ કે ? અને જાતિ શી ? આવી નુતન અવસ્થામાં આવું વિરૂદ્ધ કર્મ તે શા માટે આરંભયું?” તે સાંભળીને પગલે પગલે ખલના પામતા વચનથી તે ચેર આ પ્રમાણે છે કે –“હે નાથ! વંધ્યપુર નગરમાં વસુદત્ત નામે શેઠ રહે છે, તેને હું વસંતક નામે પુત્ર છું, પિતાએ મને લાલનપાલન કરી ભણાવીને પરણા, પણ હું દુષ્કર્મયેગે જુગારી થયે. માબાપ તથા સ્વજનોએ વાર્યા છતાં અને વારંવાર શિખામણ આપ્યા છતાં જુગારના વ્યસનથી હું અટક્યો નહિ. લેકે પણ મને કહેવા લાગ્યા કે-“ઉત્તમ અને કુલીન એવા તને જુગારનું વ્યસન ઉચિત નથી. વળી લેકે ઈર્ષ્યા કરવામાં કુશળ હોય છે એ ખરી વાત છે, પણ તારે તેમ ન માનવું; કારણ કે રાસભ પારકી દ્રાક્ષને ચરતા હોય, તેથી જે કે પિતાને કંઈ હાનિ થતી નથી છતાં તે અનુચિત જોઈને લોકેનું મન ખેદ પામે છે.” - પછી મારા પિતાએ રાજસભામાં જઈ તેના વારસપણામાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy