SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયમુનિની કથા છે પછી છ વિજયકુમાર સૈન્યથી દુદ્ધ બનીને સેવાલને જીત------- વાને ચાલે, અને સ્વદેશના સીમાડાના સાધાપર જઈને દૂતના મુખથી સેવાલને આ પ્રમાણે કહેવરાવ્યું કે:-“અરે! તું હવે પિતાને સ્થાને ચાલ્યો જા, હું આવી પહોંચ્યો છું. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સેવાલ ભીષણ ભ્રકુટી કરીને બોલ્યા કે –“લડવાને તૈયાર થઈ જાઓ, વૃથા વચન બોલવાથી શું ? મારા ભુજબળને પ્રતાપ જુઓ”એ રીતે અમર્ષવશાત્ મળેલા બંને સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. ભવિતવ્યતાવશાત્ વિજયકુમારનું સમસ્ત સૈન્ય ભગ્ર થયું. જયંતરજાએ તે વાત સાંભળીને પોતે જવાનો વિચાર કર્યો, એટલે કનિષ્ઠ પુત્ર ચંદ્રસેને વિજ્ઞપ્તિ કરી કે - “હે તાત! હવે મને મોકલે.” પછી અમાએ કહ્યું કે પૂર્વે પણ કુમારને બળાત્કારથી અટકાવ્યું છે, તે હવે તેને આદેશ આપ ઉચિત છે.” રાજાએ તે વચન કબુલ રાખીને લઘુ કુમારને વિશેષ સૈન્ય સહિત ત્યાં મોકલ્ય, એટલે ચંદ્રસેન પણે નિત્ય પ્રયાણ કરીને શત્રુને જય કરવા ચાલ્યું અને ત્યાં જઈ અકસ્માત્ યુદ્ધ કરીને સેવાલને કબજે કર્યો. પછી ચંદ્રસેનકુમાર સપ્તાંગલક્ષ્મી સહિત સેવાલને લઈને પિતાના નગરમાં આવ્યું. રાજાએ મહોત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી તે શત્રુનું પણ સન્માન કરીને રાજાએ તેને પૂર્વ સ્થિતિમાં સ્થાપે. કારણકે - “સંતો હાજતે રી, શત્રુઘનુ ." સંતજને ઘરે આવેલા દીન કે શત્રુ પર પણ અનુગ્રહ કરે છે.” પછી ચંદ્રસેનકુમારને બુદ્ધિ અને પરાક્રમાદિ ગુણોથી સમજી પ્રસન્ન થઈને રાજાએ યુવરાજપદપર સ્થાપે, એટલે વિજયકુમાર પોતાને અત્યંત પરાભવ થવાથી લજિજત થઈ રાત્રે ઘરથી બહાર ચાલ્યો ગયે અને દેશાંતરમાં જઈને બહુ પૃથ્વી ભમતાં એક શૂન્ય નગરમાં આવી શ્રમથી શૂન્યાત્મા બની રાત્રે એક જીર્ણ દેવમંદિરમાં સુતે. પ્રભાતે પુન: તે સ્થાનથી ચાલતો થયે; કારણ કે –“પુરૂષને ફળ મળવું એ કર્માધીન છે અને બુદ્ધિ પણ 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun. Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy