SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુની દેશના. 331 જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન-એમ ત્રણ પ્રકારે દાન પ્રરૂપ્યું, તેમાંના જ્ઞાનદાન ઉપર ધનમિત્રનું દષ્ટાંત પ્રકાશ્ય તે આ પ્રમાણે - મગધ નામના દેશમાં રાજપુર નામે નગર છે. ત્યાં જયંત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલાવતી નામે રાણી હતી. તેમને ચંદ્રસેન અને વિજય નામના અમિત ગુણવાળા બે પુત્ર હતા. પરંતુ પૂર્વકના દોષથી પરસ્પરના તેજને સહન ન કરતાં અમને ધારણ કરી તે બંને દિવસે વ્યતીત કરતા હતા. એ પ્રમાણે સમય વ્યતીત થાય છે એવામાં એકદા રાજસભામાં બેઠેલા રાજાને દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે રાજેદ્ર! દ્વાર પાસે ઉપસ્થિત થયેલા બે પુરૂષ આપના દર્શનની અભિલાષા રાખે છે.” એટલે રાજાએ કહ્યું કે –“તે ભલે અંદર આવે.” પછી રાજાના આદેશથી તે બંનેએ રાજસભામાં આવી રાજાને નમસ્કાર કર્યો અને રાજાની આગળ એક લેખ મૂક્યો. એટલે રાજા તેને ખેલીને પિતે વાંચવા લાગ્યો, તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું. “સ્વસ્તિશ્રી મગધેશ્વર, વિજયવંત, સમસ્ત રાજાઓમાં મુગટ સમાન, ગંગા પર્યત વસુધાના સ્વામી જયંત મહારાજાને પંચાંગ નમસ્કાર કરીને કુરૂદેવ વિજ્ઞપ્તિ કરે છે કે –“આપના ચરણબુજઠંદ્રના સ્મરણના પ્રભાવથી અમને આનંદ છે, પણ સીમાડાને સેવાલ રાજા અમારા દેશમાં બહુ ઉપદ્રવ કરે છે, માટે મને શરણરૂપ એવા તમેજ પ્રમાણ છે.” આ પ્રમાણે વાંચીને સ્કુરાયમાન કેપથી જેના નેત્ર અરૂણ (રક્ત) થયા છે એ જયંત રાજા સુભટ અને સામંતને કહેવા લાગ્યું કે –“અરે! સુભટ! જુઓ તે ખરા, સુતેલા સિંહનું શિર ખણવાને સસલો તૈયાર થયા છે. મૂઢ સેવાલ ત્યાં શું કરવા ઉપસ્થિત થયો હશે? માટે હે સુભટે! તમે સત્વર શસ્ત્ર બાંધી સજ થાઓ.” એ વખતે બંને કુમારોએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે તાત ! આ સમારંભ તેની ઉપર છે?” રાજાએ કહ્યું કે –“સેવાલ રાજા કુરૂદેવને ઉપદ્રવ કરે છે, તેની ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy