SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ છઘ વિહાર 223 उदयति यदि भानुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरूः शीततां याति वतिः। विकसति यदि पध्र पर्वताग्रे शिलायां .. तदपि न चलतीयं भाविकी कर्मरेखाः" // પર્વતના શિખર પર ચડે કે સમુદ્રનું ઉલ્લંઘન કરીને પાતાળ માં જાઓ, પણ લલાટમાં લખેલ વિધિના લેખ તે અવશ્ય ફળવાના જ છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરૂપર્વત ચળાયમાન થાય, અગ્નિ શીતલ થાય અને પર્વત ઉપરના પત્થર પર કદાચ પદ્મ વિકસિત થાયતથાપિ આ ભવિષ્યસૂચક કમરેખા ટાળી ટળતી નથી.” માટે કમની ગતિ વિષમ છે. અનંત બળધારી તીર્થકરે પણ કર્મ ની ગતિનું ઉલ્લંઘન કરી શકતા નથી. પૂર્વકૃત કર્મનું ફળ ભોગવવું જ જોઈએ. પ્રથમ તીર્થકર પણું એક વર્ષ પર્યત આહાર પામી ન શક્યા. માટે કર્મની ગતિ એળગી શકાય તેમ નથી. તથાપિ સાં- ભળ–તે રાજપુરમાં કુકડાના ભાવમાં મુનિને જોઈ જાતિસ્મરણ પામી અનશનપૂર્વક મરણ પામીને તેજ રાજપુરમાં તું રાજા થઈશ. ત્યાં રયવાડીએ જતાં પાશ્વપ્રભુને જોઈને તું બોધ પામીશ.” આ પ્રમાણે સાંભળીને તે કુછી વિપ્ર હર્ષિત થયે. અનુક્રમે તે કુકડે થઈને પછી રાજા થયે. તે આ હ પોતે છું અને પ્રભુને જોઈને હું જાતિસ્મરણ પામે છું.” પછી પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના કાયોત્સર્ગના સ્થાને ચૈત્ય બંધાવી મહોત્સવપૂર્વક ત્યાં પ્રભુની પ્રતિમાનું સ્થાપન કર્યું. તે ચૈત્યનું કર્કટેશ્વર એવું નામ પ્રસિદ્ધ થયું. અને ત્યાં કુર્કટેશ્વર નામે નગર પણ તેણે વસાવ્યું. એકદા વિહાર કરતા ભગવંત નગરની પાસે રહેલા તાપસના આશ્રમમાં આવ્યા. એવામાં સૂર્ય અસ્ત થયો. ત્યાં કુપની પાસે વટવૃક્ષની નીચે રાત્રે પ્રભુ કાયા અને મનથી પણ નિ:પ્રકંપપણે પ્રતિમાએ રહ્યા. એવામાં અમદેવ મેઘમાળી પિતાના અવધિજ્ઞાનથી પૂર્વ ભવના વૈરનો વૃત્તાંત જાણીને ક્રોધથી બળતો સતે ભગવંતને ઉપદ્રવ કરવા આવ્યું. તે અધમ દેવ પાપામા, દુષ્ટ, પૃષ્ટ, દુષ્ટ, પુષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy