SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 218 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના પંચવણ પુષ્પથી પૃથ્વીને વ્યાપ્ત કરી અને દિવ્ય નાટક કર્યું. પાર્શ્વનાથને પારણું કરાવવાથી ધન્ય પુણ્યથી પૂર્ણ થયે, તેનું ઘર ધનથી પૂર્ણ થયું, લકે આનંદથી પૂર્ણ થયા અને ગગન દેવ દુભિના નાદથી પૂર્ણ થયું. તે વખતે રાજા અને લેકોએ ધન્યને સન્માન આપ્યું. અને પ્રભુના પારણાને સ્થાને તેણે હર્ષપૂર્વક પાદપીઠ કરાવ્યું. સ્વામી ગામ, આકર અને નગરાદિકમાં વિચારવા લાગ્યા. વસુધાની જેવા સર્વસહ, શરદ્દ સતુના વાદળાની જેવા નિર્મળ, આકાશની જેવા નિરાલંબ, વાયુની જેવા અપ્રતિબદ્ધ, અનિની જેવા તેજથી દીપ્ત, કાંસાનું પાત્ર જેમ જળસ્પર્શ રહિત હોય તેમ અન્ય સંબંધ રહિત, સમુદ્રની જેવા ગંભીર, મેરૂની જેવા અપ્રકંપ, ભારંડપક્ષીની જેવા અપ્રમાદી, પદ્મપત્રની જેવા નિલેપ, પાંચ સમિતિએ સમિત, ત્રણ ગુપ્તિથી ગુસ, બાવીશ પરિસહેને જીતનારા, ચરણન્યાસથી પૃથ્વીને પાવન કરનારા અને પંચાચારને પાળનારા પાશ્વ પ્રભુ અનુક્રમે કાદંબરી અટવીમાં કલિપર્વતની નીચે કંડ સરેવરના તીરપર પ્રતિમાઓ (ઓગણીશ દેષરહિત કાઉસગ્નધ્યાને) રહ્યા. તે ઓગણીશ દેષ આ પ્રમાણે - 1 ટકદોષ–ઘેડાની જેમ પગ ઉંચે યા વાંકે રાખે છે. 2 લતાોષ–વાયુથી લતા કંપે તેમ શરીરને ધુણાવે તે. 3 ખંભાદિષ–સ્તંભ વિગેરેના ટેકાથી રહે તે. 4 માળદેષ–મેડા ઉપરના માળ સાથે માથું લગાવીને રહે છે. 5 ઉધિદેાષ–ગાડાની ઉધની જેમ અંગુઠા તથા પાની મેળ વને બે પગ ભેળા રાખે છે. 6 નિગડદોષ–નેઉલમાં પગ નાખ્યાની જેમ પગ મેકળા રાખે તે. 7 શબરીદેાષ–ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથ રાખે છે. 8 ખલિદોષઘેડાના ચકડાની જેમ હાથમાં રજોહરણ રાખે તે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy