SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની કથા. મારા વિનાની) અને અજ્ઞાન એવી દાસીને તેણે પોતાના ઘરમાં સ્ત્રી તરીકે રાખી. તથા ત્યાંજ વસનાર દાક્ષિણ્યરહિત અને ધનમાંજ (સ્વાર્થ માંજ ) લુબ્ધ એવા લોભનંદી નામના એક વણિકને તેણે મિત્ર બનાવ્યું. તે ત્યાંજ રહીને રાજસેવા કરવા લાગ્યા. સ્વપરાક્રમ તથા સ્વબુદ્ધિથી તેણે રાજાનો ભંડાર વધાર્યો. વળી દાસીને માટે તેણે બહુ વચ્ચે અને આભરણે કરાવ્યાં તથા તેને બહુજ પ્રસન્ન કરી. અને લેભનંદીને નિર્ધન હતો છતાં મહદ્ધિક બનાવી દીધું. હવે તે સિંહરાજાને પિતાના પુત્ર કરતાં પણ અધિક વહાલે . એક મયૂર હતું. તેને તેણે પિતાના ઉલ્લંગમાં લાલિત, પાલિત, પિષિત અને ભૂષિત કર્યો હતો. એકદા પ્રભાકરની ભાર્યારૂપ દાસીને ગર્ભના અનુભાવથી મને યુરનું માંસ ખાવાનો દેહદ ઉત્પન્ન થયો. એટલે પ્રભાકરે તે ઠાકોરના મરને યત્નથી છુપાવીને બીજા મયૂરના માંસથી તેને દેહદ પૂર્યો. ભેજન વેળા થતાં તે મયૂરને ન જેવાથી ઠાકરે પોતાના માણસો મેકલીને સર્વત્ર તેની તપાસ કરાવી, છતાં તેનો પત્તો ક્યાંઈ પણ ન મળે, એટલે તેમણે રાજાને તે હકીક્ત નિવેદન કરી. આથી ઠાકોર બહુજ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેણે ઉંચે સ્વરે પહેદષણ કરાવી કે “જે કઈ સિંહરાજાના મયૂરની શોધ કરી આપશે, તેને સો સોનામહોર આપવામાં આવશે. " તે સાંભળીને દાસીએ વિચાર કર્યો કે -- “આ પરદેશીથી મારે શું? ઠાકર પાસેથી દ્રવ્ય મેળવી લઉં, પછી વળી બીજે ભત્તર કરી લઈશ.” એમ વિચારી પટહને સ્પર્શ કરી સિંહરાજા પાસે જઈને એકાંતે કહ્યું કે “હે સ્વામિન્ ! સત્ય હકીકત સાંભળો. કારણ કે - ' “સત્યં મિલૈ પિ હમિ-દિપા अनुकूलं च सत्यं च, वक्तव्यं स्वामिना सह // " મિત્રની સાથે સત્ય, સ્ત્રીઓની સાથે પ્રિય, શત્રુની સાથે અસત્ય પણ મધુર અને સ્વામીની સાથે અનુકૂળ સત્ય બોલવું.” હે સવામિન્ ! કાલે મને મયૂરના માંસભક્ષણને દેહલો ઉત્પન્ન કરાવી કાર પરદેશથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy