SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, અને વિપત્તિ તો તેને પરિહાર જ કરે છે. દેખીતી રીતે પરના હિતાહિતાર્થ જાણવાનું જેણે દૂર કરેલું છે એ ચાર પણ વૈરાગ્યરૂપ કર્મરૂપ શસ્ત્રથી મેહરૂપ તિમિર અને કર્મરૂપ મળ નષ્ટ થઈ જવાને લીધે અંતદૃષ્ટિ પ્રગટવાથી દઢપ્રહારીની જેમ સમભાવવડે શુદ્ધ થાય છે. જુઓ! માટે દાવાનળ પણ શું મેઘથી દૂર થતો નથી ? થાય છે. સુજ્ઞ જન પરનું એક તૃણ માત્ર પણ વગર દીધું (અદત્ત) લેતો નથી. કારણકે ચાંડાળને આંગળીથી સ્પર્શ કરતાં શું માણસ અભડાય નહિ? આખા શરીરે અડે તેજ અભડાય? વૈર, વૈશ્વાનરતે ધ અથવા અગ્નિ, વ્યાધિ, વ્યસન અને વાદ–એ પાંચ વકાર વધવાથી મહા અનર્થ કરે છે. ચેરીનું પાપ તપ કરતાં છતાં પણ પ્રાય: ભેગવ્યા વિના ક્ષીણ થતું નથી. એ સંબંધમાં મહાબલનું દષ્ટાંત સમજવા લાયક છે તે આ પ્રમાણેઃ- આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં યથાર્થ નામવાળે માન મર્દન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એક બળીષ્ઠ મહાબલ નામે કુળપુત્ર રહેતા હતા. તેના માબાપ બાલ્યવયમાંજ મરણ પામ્યા હતા. તેથી અંકુશ વિના સર્વત્ર ભમતાં પૂર્વ દુષ્કર્મના દોષથી તેને જુગારનું વ્યસન લાગુ પડ્યું. અનુક્રમે તે સાતે વ્યસનમાં આસક્ત થયે, કહ્યું છે કે - " तं च सिं च सुरा च वेश्या, पापर्द्धिचौर्य परदारसेवा / ___ एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयंति"॥ ઘત, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચેરી અને પરદારસેવાએ સાત વ્યસને પ્રાણુને ભયંકર નરકમાં લઈ જાય છે. તે મહાબલ એકદા રાત્રે ચેરી કરવા માટે દત્ત નામના શ્રેષ્ઠીના ઘરમાં પેઠે, અને જાળીમાંથી તેણે ઘરની અંદર જોયું તે મેળમાં એક દેકડાની ભૂલ આવવાથી પોતાના પુત્રની સાથે તે કલહ કરતો હતો. એટલે ચારે વિચાર કર્યો કે - એક નજીવી બાબતને માટે આટલી મધ્યરાત્રે નિદ્રાથી વિમુખ થઈ જે પુત્રની સાથે આ કલહ કરે છે, તેનું ધન જે હરણ કરવામાં આવે, તે તેનું હૃદય તરત વિશીર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy