SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - એકદા નારદ ઈષ્ટ અને ગુરૂભાઈ એવા પર્વતને મળવાને માટે ત્યાં આવ્યે. તે વખતે પર્વત વિદ્યાથીઓને “નૈgવું” એ પદને અર્થ શિખવતો હતો. ત્યાં અજ એટલે બકરાથી યજન કરવું? એવો તેને કરેલે અર્થ સાંભળીને નારદે કહ્યું કે –“હે ભ્રાતા ! બ્રાંતિથી વૃથા અસત્ય શા માટે બોલે છે? ગુરૂજીએ તે “અજ એટલે ન ઉગે એવા ત્રણ વરસના વ્રીહિથી યજન કરવું” એમ કહ્યું હતું. . " ગાયત્તે રૂત્યના” “ઉત્પન્ન ન થાય તે અજ” એમ અજ શ બ્દની વ્યાખ્યા કરી હતી, તે શા કારણથી તું ભૂલી ગયે?” એટલે પર્વત છે કે –“પિતાજીએ એમ નહોતું કહ્યું, પણ અજને અર્થ મેષ (બકરે) જ કર્યો હતે.” પુનઃ નારદ બોલ્યો કે:-“શબ્દના અર્થ અનેક થાય છે, પરંતુ ગુરૂજી દયાવંત હોવાથી તેમણે અજનો અર્થ બકરે કહેલ નથી, માટે હે મિત્ર! તું એવો અર્થ કરીને વૃથા પાપ ન બાંધ.” એટલે પર્વત પુનઃ આક્ષેપથી બે કે તું મૃષા બેલે છે.” આ પ્રમાણે વાદ કરતાં પોતપોતાના પક્ષને સ્થાપન કરવા તેમણે જહાદન પણ કર્યો, અને તેમણે પ્રતિજ્ઞા કરી કે –“આપણે સહાધ્યાયી વસુરાજ સત્યવાદી છે, માટે તે જે અર્થ કહે તે સત્ય માન.” * નારદના ગયા પછી પર્વતની માતાએ પર્વતને એકાંતમાં બેલાવીને કહ્યું કે હે વત્સ! તારા પિતાએ અજ એટલે ત્રણ વરસના વીહિ કહ્યા છે, તે તે જીહ્ના છેદનું પણ શા માટે કર્યું? હે પુત્ર! વિચાર કર્યા વિના કામ કરનારા પુરૂષ આપત્તિને પામે છે. અહ! તું ફેગટ હારી ગયે.” પર્વત બોલ્યો કે:-“હે માત ! હવે શું કરું? હવે તે જે થવાનું હોય તે થાઓ. અભિમાનને કાંટે ચડેલે જીવ કૃત્યાત્યને જાણતો નથી.” પછી પર્વતની માતા દુ:ખથી પીડિત થઈને છાની રીતે વસુરાજા પાસે ગઈ, એટલે વસુરાજા તેમને જોઈને ઉભે થશે અને સન્મુખ આવીને પગે પડી બોલ્યા કે –“હે માતા ! શેર હેકમ છે? તમારે માટે હું શું કરું? શું આપું?” તે બોલી કે - - “હે રાજન ! મને પુત્રભિક્ષા આપે. પુત્ર વિના ધન, ધાન્યનું શું Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy